Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Crime News: દહેજની આડમાં પતિએ પત્નીની કરી હત્યા, 21 લાખ રૂપિયા અને ફોર્ચ્યુનર જોઈતી હતી

Crime News: ભારતમાં પ્રતિદિન ક્રાઇમના આંકડા નિરાશાજનક સાથે વધી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘરેલું હિંસાના બનાવો ખુબ બની રહ્યાં છે. ઉત્તર પ્રદેશના નોઇડામાં પણ અત્યારે એક આવી ઘટના બની છે. નોઇડામાં એક પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મોત...
crime news  દહેજની આડમાં પતિએ પત્નીની કરી હત્યા  21 લાખ રૂપિયા અને ફોર્ચ્યુનર જોઈતી હતી

Crime News: ભારતમાં પ્રતિદિન ક્રાઇમના આંકડા નિરાશાજનક સાથે વધી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘરેલું હિંસાના બનાવો ખુબ બની રહ્યાં છે. ઉત્તર પ્રદેશના નોઇડામાં પણ અત્યારે એક આવી ઘટના બની છે. નોઇડામાં એક પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મોત થયાના સમાચાર સામે આવ્યાં છે. પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે, દહેજની માંગ પૂરી ના થતા તેના સાસરિયા વાળાએ હત્યા કરી નાખી છે. મૃતક પરિણીતાના ભાઈએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે પતિ, સાસરા, સાસુ, નણદ અને બે જેઠ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી શરૂ કરતા પરિણીતાના પતિની ધરપકડ કરી લીધી છે.

Advertisement

દીકરી જન્મી તો વધુ હેરાન કરવાનું શરૂ કર્યું

તમને જણાવી દઈએ કે, દિલ્હીની રહેવાસી કરિશ્માના લગ્ન 4 ડિસેમ્બર 2022 ના રોજ ખેડા ચૌગનપુરના રહેવાસી વિકાસ સાથે થઈ હતી. કરિશ્માના ભાઈ દીપકના કહેવા પ્રમાણે લગ્નમાં એક ગાડી સાથે 11 લાખ રૂપિયા અને સોના સહિત અન્ય કિંમતી ચીજવસ્તુઓ દહેજ તરીકે આપવામાં આવી હતી. આમ છતાં સાસરિયાં ખુશ ન હતા. તેની ફોર્ચ્યુનર કાર અને 21 લાખ રૂપિયાની માંગ હતી. આ દરમિયાન કરિશ્માએ એક દીકરીને જન્મ આપ્યો. જેના કારણે તેના સાસરિયાઓએ તેને વધુ હેરાન કરવાનું શરૂ કર્યું હતું.

પૈસા આપવામાં છતાં પણ પરિણીતાને કરતા હતા હેરાન

મળતી વિગતો પ્રમાણે કરિશ્માના પરિવારજનોએ ઘણીવાર ગામમાં આવીને સમાજના લોકોને ભેગા કરીને આ બાબતે પંચાયતો કરીને સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ માટે કરિશ્માના સાસરિયાઓને 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા, પરંતુ તેમની દહેજની માંગ પૂરી થઈ ન હતી. કરિશ્માના ભાઈના કહેવા પ્રમાણે 29 માર્ચે તેણે તેની મોટી બહેનને ફોન કરીને જણાવ્યું કે તેને તેના પતિ, સાસુ, સસરા, ભાભી અને વહુએ માર માર્યો હતો. આ પછી જ્યારે દીપક અને તેનો પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યા તો તેમને ખબર પડી કે કરિશ્માની હત્યા તેના સાસરિયાઓએ કરી છે. મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ દિલ્હીના જગતપુર ગામમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Advertisement

પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી

નોંધનીય છે કે, દિપકે નોઇડામાં ઈકોટેક-3 કોતવાલીમાં કરિશ્માના પતિ વિકાસ, તેના સસરા સોમપાલ ભાટી, સાસુ, નણદ રિંકી અને તેના બન્ને જેઠ સુનિલ તથા અનિક સામે દહેજની ફરિયાદ (Crime News) નોંધાવી હતી. પોલીસે દિપકની ફરિયાદના આધારે કરિશ્માના પતિ વિકાસ અને તેના સસરા સોમપાલ ભાટીની ધરપકડ કરી લીઘી હતીં. મળતી વિગતો પ્રમાણે અત્યારે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Indore : મજાક-મજાકમાં મોત, ગર્લફ્રેન્ડને ‘એપ્રિલ ફૂલ’ બનાવવાના ચક્કરમાં કર્યું એવું કે વિદ્યાર્થીને મળ્યું…

આ પણ વાંચો: Accident : ચિત્રકૂટમાં ગંભીર અકસ્માત, ડમ્પરે ઓટો રિક્ષાને મારી ટક્કર, 5 લોકોના મોત

Advertisement
Tags :
Advertisement

.