Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Congress-Samajwadi Party : આજે થઈ શકે છે સપા-કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત, અખિલેશ કરશે આ બેઠકો પર સમાધાન!

લોકસભાની ચૂંટણી પહેલા જ વિપક્ષી પાર્ટીઓના INDI એલાયન્સનું કુળ એક પછી એક વિખૂટું પડતું જોવા મળી રહ્યું છે. જો કે બીજી તરફ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના સમર્થનને કારણે કોંગ્રેસની આશાઓને થોડો વેગ મળ્યો છે. અખિલેશે પોતે પણ કહ્યું છે કે...
congress samajwadi party   આજે થઈ શકે છે સપા કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત  અખિલેશ કરશે આ બેઠકો પર સમાધાન
Advertisement

લોકસભાની ચૂંટણી પહેલા જ વિપક્ષી પાર્ટીઓના INDI એલાયન્સનું કુળ એક પછી એક વિખૂટું પડતું જોવા મળી રહ્યું છે. જો કે બીજી તરફ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના સમર્થનને કારણે કોંગ્રેસની આશાઓને થોડો વેગ મળ્યો છે. અખિલેશે પોતે પણ કહ્યું છે કે ગઠબંધન થશે - 'અંત ભલા તો સબ ભલા'. આ દરમિયાન મોટા સમાચાર આવી રહ્યા છે કે બુધવારે સાંજે લોકસભા ચૂંટણી માટે સપા (Samajwadi Party) અને કોંગ્રેસ (Congress) વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ શકે છે. આ સાથે જ બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત થાય તેવી શક્યતા છે.

આજે સાંજે પત્રકાર પરિષદ યોજાશે

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું છે કે કોંગ્રેસ (Congress) અને સપા (Samajwadi Party) વચ્ચે સીટ વહેંચણીને લઈને કોઈ વિવાદ નથી. મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ (Congress) વચ્ચે બેઠકોની વહેંચણીને અંતિમ રૂપ આપ્યા બાદ કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અજય રાય આજે સાંજે લખનૌમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અખિલેશ યાદવ સાથે સીટ વહેંચણીના મુદ્દે વાત કરી હતી, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ હતી.

Advertisement

Advertisement

આ બેઠકો પર સમાધાન શક્ય છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, સપા (Samajwadi Party)-કોંગ્રેસ (Congress) ગઠબંધનમાં કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં 16થી 18 લોકસભા બેઠકો મળી શકે છે. 1 થી 2 બેઠકો પર વાતચીત ચાલી રહી છે જેના પર આજે સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવશે. મળતી માહિતી મુજબ અમરોહા, બિજનૌર, સહારનપુર, ઝાંસી જેવી સીટો કોંગ્રેસ (Congress)ના ખાતામાં જઈ શકે છે. તે જ સમયે, બુલંદશહર અને મથુરા એસપીના ખાતામાં જઈ શકે છે. કોંગ્રેસ (Congress) પાર્ટી યુપીની શ્રાવસ્તી સીટની પણ માંગ કરી રહી છે. કોંગ્રેસ (Congress)નું કહેવું છે કે પાર્ટી પાસે શ્રાવસ્તીથી મજબૂત ઉમેદવાર ઉપલબ્ધ છે.

સપાએ 31 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે

તમને જણાવી દઈએ કે અખિલેશ યાદવનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ (Congress) સાથે ગઠબંધનને લઈને તમામ પ્રકારની શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમાજવાદી પાર્ટીએ મંગળવારે ઉત્તર પ્રદેશમાં વધુ પાંચ લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી. સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધી યુપીમાં 31 સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે.

આ પણ વાંચો : Noida : મહિલાએ 2 દીકરીઓને ચોથા માળેથી ફેંક્યા બાદ પોતે પણ ઝંપલાવ્યું, એક બાળકી અને માતાનું મોત…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
જૂનાગઢ

Visavadar By Election : ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસ પર ઉમેદવારોની ખરીદીનો લગાવ્યો આરોપ, સ્ટિંગનો પણ દાવો કર્યો

featured-img
Top News

Gujarat Rain: આગામી 36 કલાકમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-159 કેન્સલ કરાઈ

featured-img
રાષ્ટ્રીય

કોચ્ચિ-દિલ્હી ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી, નાગપુરમાં કરાઈ ઈમરજન્સી લેન્ડિંગ

featured-img
રાષ્ટ્રીય

Ahmedabad plane crash : 'પિતાના ખભા પર સૌથી વધુ વજન પુત્રની નનામિનું જ હોય છે' સાબિત થયું, પાયલોટ સભરવાલના પિતા ભાંગી પડ્યા

featured-img
Top News

Ahmedabad Plane Crash : અમદાવાદની વિમાની દુર્ઘટનામાં DNA મેચ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી

×

Live Tv

Trending News

.

×