Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કાશ્મીર મુદ્દાને ફરીથી UNમાં લઇ જવાનો ચીનનો પેંતરો, ચીનના વિદેશ મંત્રીનું નિવેદન 

કાશ્મીર મુદ્દે ચીને ફરી એકવાર પાકિસ્તાનના સુરમાં સુર મળાવ્યો છે. શનિવારે એક નિવેદન જારી કરીને ચીને કહ્યું કે ભારત અને પાકિસ્તાનને કાશ્મીર વિવાદ ઇતિહાસમાંથી વારસામાં મળ્યો છે અને કોઈપણ એકપક્ષીય કાર્યવાહીથી બચીને આ મુદ્દો યુએનના ઠરાવો અનુસાર ઉકેલવો જોઈએ. આ...
10:08 AM May 07, 2023 IST | Vipul Pandya
કાશ્મીર મુદ્દે ચીને ફરી એકવાર પાકિસ્તાનના સુરમાં સુર મળાવ્યો છે. શનિવારે એક નિવેદન જારી કરીને ચીને કહ્યું કે ભારત અને પાકિસ્તાનને કાશ્મીર વિવાદ ઇતિહાસમાંથી વારસામાં મળ્યો છે અને કોઈપણ એકપક્ષીય કાર્યવાહીથી બચીને આ મુદ્દો યુએનના ઠરાવો અનુસાર ઉકેલવો જોઈએ. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે એક દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીને અરીસો બતાવ્યો હતો.
બંને પક્ષોએ વ્યૂહાત્મક વાટાઘાટો કરી
પાકિસ્તાનની બે દિવસીય મુલાકાતે ઈસ્લામાબાદ પહોંચેલા ચીનના વિદેશ મંત્રી કિન ગેંગની આ પ્રથમ મુલાકાત છે. તેમણે શનિવારે તેમના પાકિસ્તાની સમકક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. ઇસ્લામાબાદમાં 'પાકિસ્તાન-ચીન વ્યૂહાત્મક સંવાદ'ના ચોથા રાઉન્ડના સમાપન પર બંને પક્ષોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. નિવેદન અનુસાર, વાતચીત દરમિયાન રાજકીય, વ્યૂહાત્મક, આર્થિક, સંરક્ષણ સુરક્ષા, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ દરમિયાન પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.
ફરી આલાપ્યો કાશ્મીર રાગ
બેઠક બાદ જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોએ દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા અને તમામ બાકી વિવાદોને ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચીની પક્ષે પુનરોચ્ચાર કર્યો કે કાશ્મીર વિવાદ ભારત અને પાકિસ્તાનના ઈતિહાસમાંથી વારસામાં મળ્યો છે અને તેનો ઉકેલ યુએન ચાર્ટર, સુરક્ષા પરિષદના ઠરાવો અને દ્વિપક્ષીય કરારો અનુસાર થવો જોઈએ. બંને પક્ષોએ કોઈપણ એકપક્ષીય કાર્યવાહીનો વિરોધ કરતા કહ્યું કે તે પહેલાથી જ અસ્થિર પરિસ્થિતિને વધુ જટિલ બનાવશે.
ભારતે ઉગ્ર વિરોધ કર્યો છે
ગયા વર્ષે પણ, જ્યારે ચીન અને પાકિસ્તાને કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કરીને સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું, ત્યારે વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો હતો કે, "અમે સતત આવા નિવેદનોને નકારી કાઢ્યા છે અને સંબંધિત તમામ પક્ષો આ બાબતો પર અમારી સ્પષ્ટ સ્થિતિથી સારી રીતે વાકેફ છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગો છે અને હંમેશા રહેશે. અન્ય કોઈ દેશને તેના પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી.
વિદેશ મંત્રીએ આકરા પ્રહારો કર્યા હતા
એક દિવસ પહેલા વિદેશ મંત્રી જયશંકરે પીઓકેના આતંકવાદ પર પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા અને ચીનને પણ કડક શબ્દોમાં કહ્યું હતું. એસસીઓની બેઠક બાદ જયશંકરે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે પાકિસ્તાનના બેવડા ધોરણોને એક પછી એક ખુલ્લા પાડ્યા.
આ પણ વાંચો---ઓ પાજી.. કભી હસ ભી લીયા કરો…! આજે WORLD LAUGHTER DAY..!
Tags :
ChinaInternational NewsKashmir issuePakistan
Next Article