ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chhattisgarh Encounter : સુરક્ષાદળોનું સૌથી મોટું ઓપરેશન, 31 નક્સલીઓના મૃતદેહ મળ્યા

માડ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં 31 નક્સલીઓના મોત અથડામણમાં DRG નો એક જવાન ઘાયલ થયો હતો નક્સલવાદીઓની હજુ સુધી ઓળખ થઈ નથી છત્તીસગઢ (Chhattisgarh)માં નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર માડ વિસ્તારમાં એન્કાઉન્ટર (Encounter) બાદ 31 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. શુક્રવારે (4 ઓક્ટોબર)ના...
11:13 AM Oct 05, 2024 IST | Dhruv Parmar
  1. માડ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં 31 નક્સલીઓના મોત
  2. અથડામણમાં DRG નો એક જવાન ઘાયલ થયો હતો
  3. નક્સલવાદીઓની હજુ સુધી ઓળખ થઈ નથી

છત્તીસગઢ (Chhattisgarh)માં નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર માડ વિસ્તારમાં એન્કાઉન્ટર (Encounter) બાદ 31 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. શુક્રવારે (4 ઓક્ટોબર)ના રોજ અહીં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન DRG નો એક જવાન ઘાયલ થયો હતો. જોકે તેની હાલત ખતરાની બહાર છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને DRG ના વધારાના સુરક્ષા જવાનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. LMG રાઇફલ, AK 47 રાઇફલ, SLR રાઇફલ, ઇન્સાસ રાઇફલ, કેલિબર 303 રાઇફલ અને અન્ય હથિયારો મળી આવ્યા છે.

બસ્તરના IG પી સુંદરરાજે કહ્યું કે, સુરક્ષા દળોએ શનિવારે સવારે એન્કાઉન્ટર (Encounter)માં માર્યા ગયેલા અન્ય ત્રણ નક્સલવાદીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. શુક્રવારે અબુઝહમદ વિસ્તારમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ મોડી રાત સુધી 28 નક્સલવાદીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

નક્સલવાદીઓની હજુ સુધી ઓળખ થઈ નથી...

સુંદરરાજે કહ્યું કે આ એન્કાઉન્ટર (Encounter)માં માર્યા ગયેલા નક્સલવાદીઓની હજુ સુધી ઓળખ થઈ નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે તેઓ PLGA (પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી) કંપની નંબર છ, પ્લાટૂન 16 અને માઓવાદીઓના પૂર્વ બસ્તર વિભાગના હતા. દંતેવાડા જિલ્લાના બરસૂર પોલીસ સ્ટેશન વિસ્તાર અને ઓરછા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગાવડી, થુલાથુલી, નેંદુર અને રેંગવાયા ગામની મધ્ય ટેકરી પર માઓવાદીઓની કંપની નંબર 6 અને પૂર્વ બસ્તર વિભાગ વગેરેના નક્સલવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી. માહિતીના પગલે, DRG અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ના જવાનોની સંયુક્ત ટીમ ગુરુવારે બપોરે દંતેવાડા અને નારાયણપુર જિલ્લામાંથી રવાના કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Amravati : વિવાદાસ્પદ નિવેદન પર પોલીસ સ્ટેશનના કર્યા આવા હાલ, જાણીને તમને પણ આવશે ગુસ્સો...

સુરક્ષા દળોનું સૌથી મોટું ઓપરેશન...

શુક્રવારે જ્યારે સુરક્ષાદળો આ વિસ્તારમાં હતા ત્યારે નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી લાંબા સમય સુધી ગોળીબાર ચાલુ રહ્યો. એન્કાઉન્ટર બાદ સુરક્ષા દળોએ 28 નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. છત્તીસગઢ (Chhattisgarh)ની રચનાના 24 વર્ષ બાદ સુરક્ષા દળોનું અત્યાર સુધીનું આ સૌથી મોટું ઓપરેશન છે જ્યારે એક જ એન્કાઉન્ટર (Encounter)માં 31 નક્સલવાદીઓ માર્યા ગયા છે. અગાઉ 16 એપ્રિલે કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 29 નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો : Haryana Election : મતદાન દરમિયાન 'કુર્તા' ફાઈટ, ડાંગી અને કુંડુ વચ્ચે ઝપાઝપી... Video

આ વર્ષે 188 માઓવાદીઓ માર્યા ગયા...

એન્કાઉન્ટર દરમિયાન માઓવાદીઓ દ્વારા ફાયર કરવામાં આવેલ અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર (BGL) શેલ વિસ્ફોટ થતાં રાજ્ય પોલીસનો એક ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) જવાન ઘાયલ થયો હતો. સુંદરરાજે કહ્યું કે સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પરથી AK-47 રાઇફલ, SLR (સેલ્ફ-લોડિંગ રાઇફલ), ઇન્સાસ રાઇફલ, LMG રાઇફલ અને 303 રાઇફલ સહિતના શસ્ત્રોનો સંગ્રહ પણ કર્યો છે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ સફળ ઓપરેશન માટે સુરક્ષા દળોની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે 'ડબલ એન્જિન' સરકાર (રાજ્ય અને કેન્દ્રમાં ભાજપ સરકાર) નક્સલવાદી ખતરાને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર પછી, આ વર્ષે અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ દંતેવાડા અને નારાયણપુર સહિત સાત જિલ્લાના બસ્તર ક્ષેત્રમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં 188 માઓવાદીઓને ઠાર કર્યા છે.

આ પણ વાંચો : Haryana : 90 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ, 1031 ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થશે

Tags :
Gujarati NewsIndiaJawanNarayanpur-Dantewada borderNationalNaxalitesNaxalites BodiesNaxalites Bodies recoveredNaxalites searchsearch operation
Next Article