Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CHANDRAYAN-3 આ વખતે 10 તબક્કામાં પહોંચશે ચંદ્ર સુધી, જાણો કેવી રીતે કરશે કામ

આજે બપોરે 2:35 વાગ્યે ચંદ્રયાન-3  ચંદ્ર તરફ ઉડાન ભરશે. જે 45થી 50 દિવસની યાત્રા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડિંગ કરશે. ત્યારે જાણો ચંદ્રયાન-3 કેવી રીતે કામ કરશે. ચાલો જાણી એ ......   ચંદ્રયાન-3માં પણ ત્રણ ભાગ રાખવામાં આવેલા છે....
11:13 AM Jul 14, 2023 IST | Hiren Dave

આજે બપોરે 2:35 વાગ્યે ચંદ્રયાન-3  ચંદ્ર તરફ ઉડાન ભરશે. જે 45થી 50 દિવસની યાત્રા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડિંગ કરશે. ત્યારે જાણો ચંદ્રયાન-3 કેવી રીતે કામ કરશે. ચાલો જાણી એ ......

 

ચંદ્રયાન-3માં પણ ત્રણ ભાગ રાખવામાં આવેલા છે. સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર. પ્રોપલ્શન મોડ્યુલ પોતાની રીતે કામ કરશે અને લેન્ડિંગમાં સહાય કરશે. ચંદ્રયાન-2ના ઓર્બિટરનો પણ ઉપયોગ કરી શકાય એમ છે જેથી કોમ્યુનિકેશન જળવાઈ રહે. જૂનું ઓર્બિટર ચંદ્રની આસપાસ ચક્કર મારશે અને તે લેન્ડર તથા રોવર સાથે કનેક્શન રાખશે. લેન્ડર જ્યારે રોવરની સાથે લેન્ડિંગ કરશે ત્યારે તેની ઉપર મોનિટરિંગનું કામ કરશે. રોવર જ્યારે લેન્ડરથી અલગ પડીને ચંદ્રની સપાટી ઉપર સંશોધન શરૂ કરશે

લેન્ડર પાસે આ વખતે લેઝર અને આરએફ આધારિત અલ્ટિમિટર ધરાવે છે

ત્યારે તેની સાથે પણ ઓર્બિટરનું કનેક્શન રહેશે. રોવર દ્વારા જે પણ માહિતી ભેગી કરવામાં આવશે તે પૃથ્વી સુધી મોકલવાનું કામ ઓર્બિટર થકી જ કરવામાં આવશે. ચંદ્રયાન-2માં હતા તે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું અપગ્રેડેડ વર્ઝન આ યાનમાં જોડવામાં આવ્યું છે. તેમની કામગીરી પણ પહેલાં જેવી જ છે પણ વધારે સુરક્ષિત છે. લેન્ડર પાસે આ વખતે લેઝર અને આરએફ આધારિત અલ્ટિમિટર ધરાવે છે. તેનું સોફ્ટવેર પણ એટલું આધુનિક છે કે, કિલોમીટરો સુધી જો કોઈ જોખમ હશે તો તેને પહેલેથી જ જાણ થઈ જશે અને લેન્ડિંગની જગ્યા અંતિમ ઘડી સુધી બદલી શકાશે.

ચંદ્રયાન-3 આ વખતે 10 તબક્કામાં ચંદ્રની સપાટી સુધી પહોંચશે.

આ પણ વાંચો -CHANDRAYAN-3 મિશનની કમાન સંભાળનાર રોકેટ વૂમન ‘કોણ છે તે જાણો

વન સ્ટોપ ડેસ્ટિનેશન બની શકે છે ચંદ્ર

સમગ્ર વિશ્વના શક્તિશાળી દેશો દ્વારા પોતાના અવકાશી સંશોધનો માટે ચંદ્રની પસંદગી કરવામાં આવી છે. ચંદ્ર પૃથ્વીની નજીક છે. બીજી મહત્ત્વની વાત એ છે કે, જે રીતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તેવી જ રીતે વિવિધ દેશો દ્વારા ચંદ્ર ઉપર પોતાના અવકાશી સંસોધનના કેન્દ્રો બનાવવા માટે હોડ જામી છે. ચંદ્ર ઉપર જો પૂરતા પ્રમાણમાં પાણી, ઓક્સિજન અને હિલિયમ મળી જાય તો મોટાભાગની તમામ જરૂરિયાતો પૂરી થઈ જાય તેમ છે. ભારતના સંસોધન પ્રમાણે ચંદ્ર ઉપર પાણીનો વિશાળ જથ્થો છે. આ ઉપરાંત નાસાના મતે અહીંયા હિલિયમનો અંદાજે 10 લાખ મેટ્રિક ટન જેટલો જથ્થો છે જે સદીઓ સુધી પૃથ્વીને ઊર્જા પૂરી પાડી શકે તેમ છે. આ ઉપરાંત પૃથ્વીની સરખામણીમાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણ ઓછું છે તેથી ત્યાંથી કોઈપણ યાન સરળતાથી લોન્ચ કરી શકાય તેવું છે. આગામી સમયમાં મંગળ અને અન્ય સ્પેશ મિશન માટે ચંદ્રની ધરતી લોન્ચપેડ બની શકે તેમ છે.

આ પણ વાંચો -આજે ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવા તૈયાર, CHANDRAYAAN -3 ના લોન્ચિંગમાં ગણતરીના કલાકો બાકી

 

Tags :
chandrayaan satelliteChandrayaan-3indian space missionISROlaunch-today
Next Article