CAA : માર્ચથી લાગુ થઈ શકે છે CAA, લોકસભા ચૂંટણી પહેલા લેવામાં આવશે મોદી સરકારનો મોટો નિર્ણય...
નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા એજન્સી ANI એ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ગૃહ મંત્રાલય (MHA) આદર્શ આચાર સંહિતા લાગુ થાય તે પહેલાં કોઈપણ સમયે CAA નિયમોને સૂચિત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CAAના નિયમો માર્ચના પહેલા સપ્તાહમાં અથવા તે પછીના કોઈપણ દિવસે લાગુ કરવામાં આવશે, નિયમો લાગુ થતાંની સાથે જ CAA કાયદો અમલમાં આવશે.
નિયમો તૈયાર છે અને ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે...
સૂત્રોએ જણાવ્યું છે કે CAA લાગુ કરવા માટે યોગ્ય પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ કહ્યું કે નિયમો તૈયાર છે અને ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે, કારણ કે આખી પ્રક્રિયા ઓનલાઈન હશે. અરજદારોએ તે વર્ષ દર્શાવવું આવશ્યક છે જેમાં તેઓ પ્રવાસ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં.
CAA ના નિયમો આવતા મહિનાના પહેલા સપ્તાહમાં લાગુ થશે...
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર CAA ના નિયમો આવતા મહિનાના પહેલા સપ્તાહમાં લાગુ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર CAA ના નિયમો માર્ચના પહેલા સપ્તાહમાં અથવા તેના પછીના કોઈપણ દિવસે લાગુ કરવામાં આવશે, નિયમોના અમલીકરણ સાથે CAA કાયદો અમલમાં આવશે. તમને જણાવી દઈએ કે, દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં CAAને મુસ્લિમ વિરોધી ગણાવીને તેના વિરુદ્ધ હિંસક પ્રદર્શનો થયા હતા. જો કે સરકારનું કહેવું છે કે આ કાયદો કોઈ ખાસ ધર્મ વિરુદ્ધ નથી. સરકારનું કહેવું છે કે આનાથી પડોશી દેશોમાં દલિત લઘુમતીઓ જ ભારતીય નાગરિકતા મેળવી શકશે અને તે તમામ લોકો ભારતના નાગરિક બની શકશે.
આ પણ વાંચો : Baba Ramdev : પતંજલિ આયુર્વેદને સુપ્રીમ કોર્ટની લપડાક, સુપ્રીમના આદેશ બાદ પણ દર્શાવી ભ્રામક જાહેરાત…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ