Pradeep Bhandari : તે વ્યક્તિનું AAP સમર્થન કરે છે જેના પરિવારે અફઝલ ગુરુની ફાંસી રોકવાનો પ્રયાસ કર્યો
- આતિશી માર્લેના દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા
- સ્વાતિ માલીવાલ સહિતના ભાજપના નેતાઓએ આતિશી માર્લેનાને ડમી સીએમ જણાવ્યા
- ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીનો પ્રહાર
- AAP સરકાર તે વ્યક્તિનું સમર્થન કરે છે જેના પરિવારે અફઝલ ગુરુની ફાંસી રોકવાનો પ્રયાસ કર્યો હતો
- દિલ્હીના લોકો નક્સલવાદી સમર્થકોને ક્યારેય સ્વીકારશે નહીં
Pradeep Bhandari : આતિશી માર્લેના દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. આજે આમ આદમી પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં તેમને સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આતિશીને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત થતાની સાથે જ પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. સ્વાતિ માલીવાલ અને પ્રદીપ ભંડારી ( Pradeep Bhandari) સહિતના ભાજપના નેતાઓએ આતિશી માર્લેનાને ડમી સીએમ કહ્યા, જે કેજરીવાલની કઠપૂતળી છે. આતિશીને દિલ્હી AAP ધારાસભ્ય દળના નેતા અને નવા સીએમ તરીકે ચૂંટાયા પછી, દિલ્હીના મંત્રી કૈલાશ ગેહલોતે સ્પષ્ટતા કરી કે આતિશીના નામ પર બધાએ સર્વસંમતિથી સંમતિ આપી છે. ભાજપનું કામ આક્ષેપો કરવાનું છે તેથી તેમને તેમનું કામ કરવા દો.
દિલ્હીની જનતા AAPને જડબાતોડ જવાબ આપશે
#WATCH | Delhi: On Delhi Minister Atishi to be the new Delhi CM, BJP national spokesperson Pradeep Bhandari says, "AAP government supports a person who's family tried to stop Afzal Guru's hanging. The people of Delhi will never accept Naxal supporters. AAP wants to show that it… pic.twitter.com/v83iFfoQIS
— ANI (@ANI) September 17, 2024
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ દિલ્હીના મંત્રી આતિષીને દિલ્હીના નવા મુખ્યમંત્રી બનાવવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમનું કહેવું છે કે AAP સરકાર તે વ્યક્તિનું સમર્થન કરે છે જેના પરિવારે અફઝલ ગુરુની ફાંસી રોકવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીના લોકો નક્સલવાદી સમર્થકોને ક્યારેય સ્વીકારશે નહીં. AAP એ બતાવવા માંગે છે કે તે મહિલાઓ સાથે ડમી અને કઠપૂતળીની જેમ વર્તે છે, કારણ કે સૌરભ ભારદ્વાજ કહેતા હતા કે નવા સીએમ કઠપૂતળી સીએમ હશે… દિલ્હીના લોકો આનો યોગ્ય જવાબ આપશે.
આ પણ વાંચો----Delhi New Chief Minister : કોણ છે આતિશી માર્લેના? 11 વર્ષ બાદ કોઇ મહિલા બનશે દિલ્હીના CM
અરવિંદ કેજરીવાલ એક કઠપૂતળી અને કામચલાઉ વ્યક્તિને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવા માંગે છે
#WATCH | Delhi: BJP national spokesperson Pradeep Bhandari says, "Arvind Kejriwal wants to make a puppet/temporary person the chief minister of Delhi. He has no confidence in his party that's why he wants to make someone the CM who is weaker than him in the party. There is an… pic.twitter.com/CFLCTtpykE
— ANI (@ANI) September 17, 2024
પ્રદીપ ભંડારીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ એક કઠપૂતળી અને કામચલાઉ વ્યક્તિને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવા માંગે છે. કારણ કે તેમને તેમની પાર્ટી પર ભરોસો નથી, તેઓ પાર્ટીમાં તેમના કરતા નબળા એવા વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. આમ આદમી પાર્ટીમાં આંતરિક સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે. આ આંતરિક સત્તા સંઘર્ષથી દિલ્હીના લોકો પરેશાન છે. આવનારી ચૂંટણી જનતા વિરુદ્ધ આમ આદમી પાર્ટી થવા જઇ રહી છે અને ભાજપ જમતાનું માધ્યમ બનશે.
મનીષ સિસોદિયાના દબાણમાં આતિશીને સીએમ બનાવવામાં આવ્યા
#WATCH | Delhi: On Delhi Minister Atishi to be the new Delhi CM, Delhi BJP President Virendraa Sachdeva says, "Arvind Kejriwal made her the CM unwillingly. He could not make the CM he wanted because of pressure from Manish Sisodia. She was also given all the departments because… pic.twitter.com/EcpMMTPInz
— ANI (@ANI) September 17, 2024
આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવા પર દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે તેમને અનિચ્છાએ મુખ્યમંત્રી બનાવ્યા હતા. મનીષ સિસોદિયાના દબાણને કારણે તેઓ તેમને જોઈતા સીએમ બનાવી શક્યા નહીં. તેમને તમામ પદો પણ આપવામાં આવ્યા હતા. મનીષ સિસોદિયાના કારણે અને તેમના દબાણમાં આતિષીને સીએમ બનાવવામાં આવ્યા છે, ચહેરો બદલાઈ ગયો છે] પરંતુ ભ્રષ્ટ ચરિત્ર યથાવત છે અને દિલ્હીના લોકો જવાબ માંગશે. બીજેપી નેતા હરીશ ખુરાના કહે છે કે હું ડમી સીએમ આતિશીને અભિનંદન આપું છું. આ પછી પણ દિલ્હીની સ્થિતિ બદલાશે નહીં. ભ્રષ્ટાચાર ચરમસીમાએ રહેશે. હું આતિશીને વહેલી ચૂંટણીની ભલામણ કરવા પડકાર આપું છું.
આ પણ વાંચો---દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ જાહેર, AAP બેઠકમાં લેવાયો નિર્ણય