Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar Student Protest માં વિદ્યાર્થીઓ સાથે ખાન સર જોડાયા, કહ્યું કે...

Bihar Student Protest : Students પરીક્ષા રદ કરવાની માંગ સાથે ધરણા પર બેઠા
bihar student protest માં વિદ્યાર્થીઓ સાથે ખાન સર જોડાયા  કહ્યું કે
Advertisement
  • પરીક્ષા કેન્દ્રમાં પ્રશ્નપત્ર લીક થવા અંગે અફવા ફેલાઈ હતી
  • Students પરીક્ષા રદ કરવાની માંગ સાથે ધરણા પર બેઠા
  • તેજસ્વી યાદવે પણ વિરોધીઓને સમર્થન આપ્યું હતું

Bihar Student Protest : Bihar માં સતત BPSC ના Students વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અગાઉ BPSC ના Students એ BPSC મુખ્ય કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે તેમની પર પોલીસએ બળજબરીપૂર્વક ક્રૂરતાથી લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે અનેક BPSC ના Students ઘાયલ થયા હતા. તો આજે ફરી એકવાર બિહારના પટનામાં BPSC ના વિરોધ પ્રદર્શનને બળ આપવા માટે સમર્થનના ભાગરૂપે Educator and YouTuber Khan Sir આવ્યા હતા. તેમણે મીડિયાના અનેક સવાલોના જવાબો અને મીડિયાના મારફતે Students ની માગણી સરકાર સામે મુકી હતી.

પરીક્ષા કેન્દ્રમાં પ્રશ્નપત્ર લીક થવા અંગે અફવા ફેલાઈ હતી

13 મી ડિસેમ્બરથી શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનમાં આજે લોકપ્રિય શિક્ષક ખાન સર પણ સામેલ થયા હતા. વિરોધ કરી રહેલા Students ને સંબોધતા તેમણે કહ્યું, "અમારી માત્ર એક જ માંગ છે, BPSC ની પુનઃપરીક્ષા, પુનઃપરીક્ષા... એ જ સૂત્ર અને એ જ માંગ પુનઃપરીક્ષા, પુનઃપરીક્ષા... અમે બધા એક પુનઃપરીક્ષા માગીએ છીએ, કોઈની પાસે ભીખ નથી માગી રહ્યા. પહેલા દેશની જીડીપી પડી, પછી બિહારના પુલો અને અંતે BPSC પડી ગયું. હવે, જરૂર પડી તો લીવર વેંચીને પૈસા ભેગા કરી BPSC સામે લડીશું.

Advertisement

આ પણ વાંચો: મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ રહેમાન મક્કીનું હાર્ટ એટેકથી મોત

Advertisement

Students પરીક્ષા રદ કરવાની માંગ સાથે ધરણા પર બેઠા

જોકે 13 ડિસેમ્બરે યોજાયેલી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં પટનામાં બાપુ ભવન પરીક્ષા કેન્દ્રમાં પ્રશ્નપત્ર લીક થવા અંગે અફવા ફેલાઈ હતી. ત્યારબાદ સેંકડો ઉમેદવારોએ પોતાનો વિરોધ નોંધાવવા માટે પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. BPSC એ દાવો કર્યો હતો કે આવી અફવા ફેલાવનારા અસામાજિક તત્વો હતા. જોકે, BPSC એ બાપુ ભવનના કેમ્પસમાં પરીક્ષા આપનાર 5,000 થી વધુ ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપ્યો છે. પટનાના ગાર્ડનીબાગમાં Students પરીક્ષા રદ કરવાની માંગ સાથે ધરણા પર બેઠા છે.

તેજસ્વી યાદવે પણ વિરોધીઓને સમર્થન આપ્યું હતું

તો BPSC એ સ્પષ્ટ કર્યું છે કે અન્ય કેન્દ્રોમાં પરીક્ષા રદ કરવામાં આવશે નહીં. BPSC ની પરીક્ષાને લઈને પણ રાજકારણ ગરમાયું છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે પણ વિરોધીઓને સમર્થન આપ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ સિંહ પણ વિરોધ સ્થળ પર પહોંચ્યા છે અને Students ને સમર્થન આપ્યું છે. સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે પરીક્ષા રદ કરવાની માંગ સાથે બિહાર બંધનું એલાન કર્યું છે.

આ પણ વાંચો: Punjab ના ભટિંડામાં હચમચાવી નાખતો માર્ગ અકસ્માત, બસ નાળામાં ખાબકતા 8નાં મોત અનેક ઘાયલ

Tags :
Advertisement

.

×