Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar : ARWAL માં CPI (ML)ના નેતાની હત્યા, રસ્તામાં રોકીને ગોળીઓ ચલાવી, આરોપી ફરાર

Bihar માં મોટી દુર્ઘટના CPI-ML ના નેતાની ગોળી મારીને હત્યા સુનીલ ચંદ્રવંશીને ગોળી મારી દીધી બિહાર (Bihar)ના અરવલ (ARWAL) જિલ્લામાં CPI-ML ના નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સોમવારે સાંજે અપરાધીઓએ CPI-ML નેતા સુનીલ ચંદ્રવંશીને ગોળી મારી દીધી...
bihar   arwal માં cpi  ml ના નેતાની હત્યા  રસ્તામાં રોકીને ગોળીઓ ચલાવી  આરોપી ફરાર
  1. Bihar માં મોટી દુર્ઘટના
  2. CPI-ML ના નેતાની ગોળી મારીને હત્યા
  3. સુનીલ ચંદ્રવંશીને ગોળી મારી દીધી

બિહાર (Bihar)ના અરવલ (ARWAL) જિલ્લામાં CPI-ML ના નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સોમવારે સાંજે અપરાધીઓએ CPI-ML નેતા સુનીલ ચંદ્રવંશીને ગોળી મારી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સુનીલ ચંદ્રવંશી સોમવારે સાંજે બજારથી પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન બાઇક પર સવાર અજાણ્યા બદમાશોએ તેમને રસ્તામાં રોક્યા અને ગોળી મારી દીધી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસનું કહેવું છે કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

Advertisement

બજારમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા...

વાસ્તવમાં આ સમગ્ર મામલો જિલ્લાના કિંજર પોલીસ સ્ટેશન વિસ્તારના છક્કન બીઘા ગામનો છે. અહીં સોમવારે સાંજે CPI-ML નેતા સુનીલ ચંદ્રવંશી કાર્પી બજારથી પોતાના ઘરે આવી રહ્યા હતા. દરમિયાન બાઇક પર સવાર ગુનેગારોએ તેના પર હુમલો કર્યો અને રસ્તામાં ગોળીઓ મારી દીધી હતી. ગોળી વાગતાં સુનીલ ચંદ્રવંશી ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી, ત્યારબાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી. પોલીસ તાકીદે સુનીલ ચંદ્રવંશીને સદર હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સદર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો : UP : બહરાઇચમાં વન વિભાગને મળી મોટી સફળતા, પાંચમો વરુ પકડાયો

બદલાની હત્યાનો ડર...

ઘટના અંગે માહિતી આપતાં અરવલ (ARWAL)ના એસપી રાજેન્દ્ર કુમાર ભીલે કહ્યું કે એવી આશંકા છે કે ગુનેગારોએ બદલો લેવાના ઈરાદે ગોળી મારીને હત્યા કરી હશે. તેમણે કહ્યું કે પોલીસની ટીમ ગુનેગારોને પકડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. પરિવારજનોએ આપેલા નિવેદનના આધારે પોલીસ દરોડા પાડવામાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો : GST Council Meeting : કૅન્સરના દર્દીઓ માટે Good News, સરકારે સસ્તી સારવારનો માર્ગ કર્યો મોકળો

Tags :
Advertisement

.