Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : નવમાં નોરતે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ, માતાજીએ કરી નંદી પર સવારી

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. જે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠોમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મંદિરમાં માઈ ભક્તો દૂરદૂર થી માતાજીનાં દર્શન...
banaskantha   નવમાં નોરતે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ  માતાજીએ કરી નંદી પર સવારી

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. જે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠોમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મંદિરમાં માઈ ભક્તો દૂરદૂર થી માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે.

Advertisement

આજે નવમાં નોરતે સવારે મંગળા આરતી કરવામા આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ત્યારબાદ આખુ મંદિર પરિસર ભક્તોથી ગુંજી ઉઠ્યું હતું.આજે માતાજીએ નંદી પર સવારી કરી છે. તો ભક્તોમાં માતાજીના દર્શન કરવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બોલ મારી અંબે જય જય અંબે નો નાદ અરવલ્લી પર્વતમાળામાં સાંભળવા મળ્યો હતો.

Advertisement

અંબાજી મંદિરમાં આજે સવારે એક માઈ ભક્ત દ્વારા સોનાનો હાર ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમિયા સેવા સંઘના ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ પટેલ રહેવાસી ઊંઝા દ્વારા પણ સોનાની ભેટ બુધવારે અપાઈ હતી જેની કિંમત 6,10,000 અને જેનું વજન 110 ગ્રામ હતું. નવરાત્રિના અંતિમ દિવસે સોનાનું દાન આપનાર માઈ ભક્તની વિગત નીચે પ્રમાણે છે.
  • રામભાઈ મેરામણભાઇ ડોડીયા
  • ગામ:- અમદાવાદ
  • વસ્તુ:- સોનાનો હાર
  • વજન:- 33.270 ગ્રામ
  • અંદાજે કિંમત:- 1.86 લાખ

અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વમાં દર્શનનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવે છે. પ્રથમ દિવસે ઘટ સ્થાપન કરવામાં આવે છે અને બીજથી આઠમ સુઘી સવારે 2 મંગળા આરતી કરવામા આવે છે.પ્રથમ આરતી ગર્ભગૃહ ની અંદર થાય છે, ત્યારબાદ ઘટ સ્થાપન પાસે બીજી આરતી ભટ્ટજી મહારાજના હસ્તે કરવામાં આવે છે. આઠમના દિવસે આ જવેરાનુ વિસર્જન કરવામાં આવે છે. ઝવેરાને માતાજીને ધરાવ્યા બાદ હવનમાં ચઢાવવામાં આવે છે.

ગબ્બર ખાતે માઈ ભક્તોની ભારે ભીડ

અંબાજી આવતા માઈ ભક્તો ગબ્બર ખાતે દર્શન કરવા જતા હોય છે, ત્યારે ગબ્બર ખાતે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મા અંબાના મંદિરમાં દર્શન કર્યા બાદ ભક્તો ગબ્બર ખાતે અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે.

Advertisement

આ પણ વાંચો : ગુજરાતના આ ગામમાં આજે પણ શેરી ગરબાએ જમાવ્યું છે અનેરું આકર્ષણ

Tags :
Advertisement

.