Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Char Dham Yatra ના યાત્રીઓ આ વાત નોંધી લે..

Char Dham Yatra : અખાત્રીજ શુક્રવારથી કેદારનાથ અને યમુનોત્રીના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા અને આ સાથે જ આ વર્ષની ચારધામ યાત્રા (Char Dham Yatra )નો પ્રારંભ થઇ ગયો છે. જો કે ચાર ધામ યાત્રાના પ્રારંભે જ ઉત્તરાખંડનું હવામાન...
char dham yatra ના યાત્રીઓ આ વાત નોંધી લે
Advertisement

Char Dham Yatra : અખાત્રીજ શુક્રવારથી કેદારનાથ અને યમુનોત્રીના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા અને આ સાથે જ આ વર્ષની ચારધામ યાત્રા (Char Dham Yatra )નો પ્રારંભ થઇ ગયો છે. જો કે ચાર ધામ યાત્રાના પ્રારંભે જ ઉત્તરાખંડનું હવામાન બગડ્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ ના ઘણા જિલ્લાઓમાં 13 મે સુધી વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં યલો બાદ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડ હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં 11 મેથી 13 મે સુધી વરસાદ પડશે.

Advertisement

13 મેના રોજ કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગના કહેવા મુજબ 13 મેના રોજ કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ચાર ધામમાં આવતા યાત્રિકોને પણ વરસાદ દરમિયાન મુસાફરી ન કરવાની અને વરસાદ બંધ થાય ત્યારે જ યાત્રા શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે.

Advertisement

12 અને 13 તારીખે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ

ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં 11, 12 અને 13 મેના રોજ વરસાદની સંભાવના છે. આ સિવાય 12 અને 13 તારીખે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને વરસાદને કારણે ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ લગભગ સંપૂર્ણપણે બુઝાઈ જશે.

Advertisement

મુસાફરી ન કરવાની કાળજી લેવી જોઈએ

યાત્રિકોએ પણ વરસાદની મોસમમાં મુસાફરી ન કરવાની કાળજી લેવી જોઈએ. જો વરસાદ પડે, તો તમારી મુસાફરી મુલતવી રાખો. વરસાદ સમાપ્ત થયા પછી તમારી આગળની મુસાફરી શરૂ કરો.

ગરમ વસ્ત્રો અવશ્ય લેવા જોઈએ

ચમોલી, બદ્રીનાથ અને જોશીમઠમાં અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. ચારધામ તીર્થયાત્રાએ જતા લોકોએ પોતાની સાથે ગરમ વસ્ત્રો અવશ્ય લેવા જોઈએ. વિવિધ ઋતુઓ અનુસાર થર્મલ, સ્વેટર, જેકેટ અને શાલ વગેરે સાથે રાખો. વરસાદ માટે રેઈન ગિયર, વોટરપ્રૂફ બેગ, પેન્ટ અને જેકેટ વગેરે સાથે રાખો.

રજીસ્ટ્રેશનનો આંકડો 23 લાખને પાર કરી ગયો

ચારધામ યાત્રાની શરૂઆત સાથે રજીસ્ટ્રેશનનો આંકડો 23 લાખને પાર કરી ગયો છે. શુક્રવારે સાંજે 4 વાગ્યા સુધી ચારધામ યાત્રા માટે 23 લાખ 57 હજાર 393 નોંધણી થઈ હતી. જેમાંથી 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. બદ્રીનાથ ધામ માટે 7 લાખ, 10 હજાર, 192 નોંધણી કરવામાં આવી હતી. યમુનોત્રી માટે 3 લાખ, 68 હજાર 302, ગંગોત્રી ધામ માટે 4 લાખ, 21 હજાર, 205 અને હેમકુંડ સાહિબ માટે 50 હજાર 604 નોંધણી થઈ છે.

ભારે વરસાદ અને કરાથી નુકસાન

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને કરાથી ઉત્તરકાશીના પુરોલા, પિથોરાગઢ, અલ્મોડા અને બાગેશ્વરમાં નુકસાન થયું છે. બુધવારે મોડી રાત્રે ભારે વરસાદને કારણે અલ્મોડાના સોમેશ્વરમાં એક નાળું ઓવરફ્લો થઈ ગયું. જેના કારણે નાળામાં તંબુ, રોકડ, બે જેસીબી, બે ટ્રેક્ટર ટ્રોલી સહિત 800 થેલીઓ વહી ગયા હતા. ઉત્તરાખંડના બાગેશ્વરમાં વરસાદને કારણે કપકોટને પણ નુકસાન થયું છે. અનેક જગ્યાએ પાણી ભરાવાને કારણે પાણી અને કાટમાળ ઘરોમાં ઘુસી ગયા હતા. આ સિવાય ઉત્તરકાશીના પુરોલામાં પણ વરસાદને કારણે ખેતરોમાં નુકસાન થયું છે અને ખેડૂતોના પાકને નુકસાન થયું છે.

આ પણ વાંચો------ દિલ્હી અને રાજસ્થાનમાં વાવાઝોડું, અનેક ફ્લાઇટ ડાયવર્ટ 5 થી વધારેના મોત અનેક જગ્યાએ ઝાડ પડ્યાં

આ પણ વાંચો------ Chardham Yatra : ચારધામ યાત્રાનો પ્રારંભ, મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Weather Report : 6 રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદ, ગુજરાત માટે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી

featured-img
મનોરંજન

Sikandar Review: ચાહકોને ખુશ કરવા માટે ન તો મજબૂત વાર્તા કે ન તો મનોરંજન, સલમાન ઈદી આપવામાં નિષ્ફળ ગયો

featured-img
Top News

વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકન કોલેજમાં પ્રવેશ મળશે નહિં! જાણો શું છે ટ્રમ્પ સરકારની નવી 'યોજના'

featured-img
આઈપીએલ

ટૂર્નામેન્ટનો શ્રેષ્ઠ ટેસ્ટ ખેલાડી..! RR સામે હાર બાદ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો Dhoni

featured-img
Top News

Gujarati Top News : આજે 31 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
Top News

Gandhinagar : ભાજપ દ્વારા તાલુકા અને શહેર પ્રમુખોની વરણી કરાઈ, બાકી નામોની ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત

Trending News

.

×