Arvind Kejriwal ને દિલ્હી હાઈકોર્ટથી મળી રાહત, મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી ફગાવી...
આમ આદમી પાર્ટીને ફરી એકવાર દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને CM પદેથી હટાવવાની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે અમે આ મામલામાં હસ્તક્ષેપ નહીં કરીએ. જો જરૂરી હોય તો એલજી અને કેન્દ્ર સરકાર આ મામલે તપાસ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ અરજી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સામાજિક કાર્યકર વિષ્ણુ ગુપ્તા તરફથી દાખલ કરવામાં આવી છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન સિંહ અને જસ્ટિસ મનમીત પ્રિતમ સિંહ અરોરાએ તેમની અરજી ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ કોર્ટે આવી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે આ મામલામાં ન્યાયિક હસ્તક્ષેપ કરી શકાય નહીં.
એલજી અને પ્રમુખ સક્ષમ...
અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) વિરુદ્ધની અરજી પર હાઈકોર્ટે કહ્યું કે, અમે કેવી રીતે કહી શકીએ કે સરકાર કામ નથી કરી રહી. LG આ મામલે નિર્ણય લેવામાં સક્ષમ છે અને તેને અમારી સલાહની જરૂર નથી. તેઓ કાયદા મુજબ કામ કરશે. કોર્ટે કહ્યું કે, આ મામલે માત્ર એલજી અથવા રાષ્ટ્રપતિ જ સક્ષમ છે. જ્યારે કોર્ટે આ મામલે કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો, ત્યારે અરજદારે કહ્યું કે તેઓ તેને પાછો ખેંચવા માંગે છે અને એલજીને અપીલ કરશે.
Delhi High Court refuses to entertain another PIL seeking direction to remove Arvind Kejriwal from the post of Delhi Chief Minister. During the arguments, Delhi HC made oral observations stating that at times, personal interest has to be subordinate to national interest.
— ANI (@ANI) April 4, 2024
જામીન પર આજે નિર્ણય આવી શકે છે...
તમને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ED દ્વારા તેમની ધરપકડને હાઈકોર્ટમાં પડકારી હતી. આ મામલાની સુનાવણી 3 એપ્રિલે હાથ ધરવામાં આવી હતી. લગભગ 3 કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. માનવામાં આવે છે કે કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો આપી શકે છે. તમને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે.
આ પણ વાંચો : Congress : રાજીનામું સ્વીકાર્યા બાદ કોંગ્રેસે મને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો, સંજય નિરુપમે ખુલાસો કર્યો…
આ પણ વાંચો : Lok Sabha Election : કોંગ્રેસ નેતા ગૌરવ વલ્લભે આપ્યું રાજીનામું, કહ્યું- પાર્ટી ખોટી દિશામાં આગળ વધી રહી છે…
આ પણ વાંચો : Haryana : સુધરે એ કોંગ્રેસ નહીં, રણદીપ સુરજેવાલાએ હેમા માલિની પર અભદ્ર ટિપ્પણી કરી, Video Viral