Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'જેમને સંસદમાં આવવા પર મનાઇ છે તેવા લોકો બહિષ્કાર કરે છે' : અનુરાગ ઠાકુર

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને કેન્દ્ર અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અનુરાગ ઠાકુરે શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધી પર આકરા પ્રહાર  રાહુલ ગાંધીનું નામ લીધા વિના...
03:34 PM May 27, 2023 IST | Vipul Pandya
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને કેન્દ્ર અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અનુરાગ ઠાકુરે શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધી પર આકરા પ્રહાર 
રાહુલ ગાંધીનું નામ લીધા વિના બીજેપી નેતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, એક દિવસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને લોકશાહીમાં નવી સંસદ ભવન આપવાનું કામ કરશે, એ અલગ વાત છે કે કેટલાક લોકોને સંસદમાં આવતા રોક લગાવાઇ છે. એક સમયે તેઓ ગૃહની કાર્યવાહી ન ચલાવવા માટે બહાના શોધતા હતા, આજે તેઓ બહિષ્કાર કરે છે અને સાથે સાથે તેમને અપમાનિત કરવાનું કામ પણ કરે છે.

શું છે વિરોધ પક્ષોની માંગ?
નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો 21 પક્ષોએ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે), જનતા દળ (યુનાઈટેડ), આમ આદમી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ભારતીય સામ્યવાદી પક્ષ, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, ઝારખંડ મુક્તિ મોરચા, નેશનલ કોન્ફરન્સ, કેરળ કોંગ્રેસ (મણિ), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી, વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK), મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK) અને રાષ્ટ્રીય લોક દળે સંયુક્ત રીતે બહિષ્કારની જાહેરાત કરી છે.  ભારત રાષ્ટ્ર સમિતિ અને એઆઈએમઆઈએમએ પણ કાર્યક્રમમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. આ પક્ષોની માંગ છે કે પીએમ મોદીને બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી સંસદનું ઉદ્ઘાટન કરવું જોઈએ. આમ ન કરીને સરકાર લોકશાહી પર પ્રહાર કરી રહી છે.
કયા વિરોધ પક્ષો હાજરી આપશે
ઘણા વિરોધ પક્ષોએ સંસદના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનું કહ્યું છે. જેમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની જેડીએસ, પૂર્વ કેન્દ્રીય મંત્રી એન ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની બીજુ જનતા દળ, શિરોમણી અકાલી દળ, પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની બહુજન સમાજ પાર્ટી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીનો સમાવેશ થાય છે. કોંગ્રેસ પાર્ટી (YSRCP) અને લોક જનશક્તિ પાર્ટી (પાસવાન).
શું કહે છે સરકાર?
વિપક્ષી પાર્ટીઓના બહિષ્કાર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાજનીતિ થઈ રહી છે, પરંતુ અમે બધાને આમંત્રણ આપ્યું છે. આવી સ્થિતિમાં, તેઓ આવે છે કે નહીં તે આ પક્ષોના વિવેક પર છે. તેમણે તમામ પક્ષોને ફરીથી વિચારવા કહ્યું છે.
આ પણ વાંચો---નીતિ આયોગની બેઠકમાં 8 મુખ્યમંત્રીઓ કેમ ન આવ્યા? બેનો ખુલ્લો બહિષ્કાર, જાણો બાકીના CMએ શું કહ્યું કારણ
Tags :
Anurag Thakurcontroversynew parliamentrahul-gandhi
Next Article