Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UP પોલીસનું વધુ એક એન્કાઉન્ટર, 2.25 લાખ રૂપિયાનું ઇનામી ધરાવતો ગુનેગાર ઢેર...

ઉત્તર પ્રદેશ (UP)ના મુઝફ્ફરનગર જિલ્લામાં બુધવારે રાત્રે પોલીસ સાથેની અથડામણમાં 2.25 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો ગુનેગાર માર્યો ગયો. પોલીસ અધિકારીઓએ આ એન્કાઉન્ટરની માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર માર્યો ગયો ગેંગસ્ટર બિહારનો રહેવાસી હતો. અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ (UP)...
10:35 AM Jun 06, 2024 IST | Dhruv Parmar

ઉત્તર પ્રદેશ (UP)ના મુઝફ્ફરનગર જિલ્લામાં બુધવારે રાત્રે પોલીસ સાથેની અથડામણમાં 2.25 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો ગુનેગાર માર્યો ગયો. પોલીસ અધિકારીઓએ આ એન્કાઉન્ટરની માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર માર્યો ગયો ગેંગસ્ટર બિહારનો રહેવાસી હતો. અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ (UP) અને બિહારની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની સંયુક્ત ટીમે મુઝફ્ફરનગરના રતનપુરી વિસ્તારમાં આ કાર્યવાહી કરી.

અધિક પોલીસ મહાનિર્દેશક (ઉત્તર પ્રદેશ STF અને કાયદો અને વ્યવસ્થા) અમિતાભ યશે જણાવ્યું કે બિહારના બેગુસરાય જિલ્લાના રહેવાસી નિલેશ રાય વિરુદ્ધ હત્યા, લૂંટ અને ખંડણી સહિતના 16 કેસ નોંધવામાં આવ્યા છે. યશે કહ્યું કે, "આજે (બુધવારે) ઉત્તર પ્રદેશ STF અને બિહાર STF ના નોઈડા યુનિટે મુઝફ્ફરનગરના રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારો સાથે એન્કાઉન્ટર કર્યું હતું." ગંભીર રીતે ઘવાયેલા નિલેશ રાયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

બદમાશ બેગુસરાયનો રહેવાસી હતો...

અધિકારીએ જણાવ્યું કે નીલશ બેગુસરાયનો રહેવાસી હતો અને બિહાર સરકારે તેના પર 2.25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. તેણે જણાવ્યું કે 24 ફેબ્રુઆરીએ જ્યારે પોલીસ ટીમે બેગુસરાયમાં તેના ઠેકાણા પર દરોડો પાડ્યો ત્યારે રાય અને તેના સહયોગીઓએ પોલીસ ટીમ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ભાગી છૂટ્યા. તેમણે કહ્યું કે આ ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગી હતી અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું કે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

યુપી પોલીસે અનેક એન્કાઉન્ટર કર્યા છે...

ઉત્તર પ્રદેશ (UP) પોલીસે છેલ્લા પાંચ વર્ષમાં અનેક એન્કાઉન્ટર કરીને રાજ્યમાં ગુનેગારો પર કડક કાર્યવાહી કરી છે. વિકાસ દુબેથી લઈને અતિક અહેમદના મૃત્યુથી ગુનેગારોમાં ડર છવાઈ ગયો છે. જેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થામાં પણ સુધારો થયો છે. યુપી પોલીસ અધિકારી પ્રશાંત કુમારે સપ્ટેમ્બર 2023 માં કહ્યું હતું કે છેલ્લા 6 વર્ષમાં પોલીસ અને અધિકારીઓ વચ્ચે 9,434 થી વધુ એન્કાઉન્ટર થયા છે. આ એન્કાઉન્ટરમાં 183 ગુનેગારો માર્યા ગયા છે. આ દરમિયાન 13 પોલીસકર્મીઓ પણ શહીદ થયા હતા.

આ પણ વાંચો : પૂર્વ CM, ફિલ્મ સ્ટાર સહિત 280 નેતા પહેલીવાર સંસદમાં પહોંચશે, સૌથી વધુ 45 સાંસદો UP ના હશે…

આ પણ વાંચો : Lok Sabha Election : પહેલા નીતિશ-તેજસ્વી અને હવે નાયડુ-સ્ટાલિન સાથે… શું કઈ નવાજૂની થશે!

આ પણ વાંચો : Noida Viral Video: નોઈડા હાઈવે પર જીવલેણ કાર સ્ટંટ કરતો યુલક, નોઈડા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

Tags :
Bihar PoliceEncounterGujarati NewsIndiaNationalUP PoliceUP police encounterYogi Adityanath
Next Article