Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં ફરી આતંકી હુમલો, 6 સુરક્ષાકર્મીઓના મોત, 11 ઘાયલ
- પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં હુમલો
- આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર
- છ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા અને 11 અન્ય ઘાયલ
અફઘાનિસ્તાનની સરહદે આવેલા પાકિસ્તાન (Pakistan)ના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચેની રાત્રે આતંકવાદીઓએ એક સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો. આતંકીઓએ સુરક્ષા ચોકીને નિશાન બનાવીને કરેલા આ હુમલામાં છ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા અને 11 અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ આતંકી હુમલાની માહિતી આપી છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (Pakistan) (TTP) એ હુમલાની જવાબદારી લીધી છે.
આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર...
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના એક જૂથે દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના લધા તહસીલના મિશ્તા ગામમાં એક ચેક પોસ્ટ પર હુમલો કર્યો, જેમાં છ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 11 અન્ય ઘાયલ થયા. સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે આતંકવાદીઓને પકડવા અથવા મારવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અન્ય એક ઘટનામાં, દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના આઝમ વારસાક વિસ્તારમાં શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં સાત આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.
STORY | 6 security personnel killed, 11 injured in terror attack in Pakistan's Khyber Pakhtunkhwa province
READ: https://t.co/uA6kTTRQwK pic.twitter.com/qCLRSNICe2
— Press Trust of India (@PTI_News) September 20, 2024
આ પણ વાંચો : કોઇ પણ Gadgets ફાટી શકે છે! પેજર બ્લાસ્ટ બાદ લેબનાનના લોકો ડરમાં ફેંકી રહ્યા છે Mobile-Laptop
અગાઉ પણ હુમલા થયા છે...
નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા ચોકીને નિશાન બનાવી હોય. અગાઉ ગયા મહિને (ઓગસ્ટ 2024) પણ આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા સાત પાકિસ્તાની (Pakistan) સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 11 અન્ય ઘાયલ થયા. આ હુમલો પાકિસ્તાન (Pakistan)-અફઘાનિસ્તાન સરહદ પર સ્થિત તિરાહ ઘાટીમાં થયો હતો.
આ પણ વાંચો : આ દેશમાં ફૂંકાશે 500 કિમીની ઝડપે Stormy Wind..!
પાકિસ્તાને પાડોશી દેશ પર આરોપ લગાવ્યો...
આ દરમિયાન અત્રે એ પણ જણાવી દઈએ કે પાકિસ્તાન (Pakistan) લાંબા સમયથી કહી રહ્યું છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (Pakistan) સાથે જોડાયેલા આતંકવાદીઓના ઠેકાણા અફઘાનિસ્તાનની અંદર છે અને તેના લડવૈયાઓ પાકિસ્તાન (Pakistan)ની ધરતી પર હુમલો કર્યા બાદ ત્યાં જાય છે. જો કે, તાલિબાન સરકાર હંમેશા આ દાવાને નકારી રહી છે. તાલિબાન સરકાર વતી એવું પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને ક્યારેય અફઘાનિસ્તાનમાં TTP ની હાજરીના પુરાવા આપ્યા નથી. ઈસ્લામાબાદે તેની નબળાઈઓ માટે અફઘાનિસ્તાનને દોષ ન આપવો જોઈએ.
આ પણ વાંચો : Lebanonમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ભારે બોમ્બમારો..