Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Andhra Pradesh: તિરુપતિ મંદિરમાં ટોકન લેવા દરમિયાન નાસભાગ, 6 શ્રદ્ધાળુઓના મોત

ઘટના ત્યારે બની જ્યારે બૈરાગી પાટિડા પાર્કમાં ભક્તોને લાઇનમાં ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી
andhra pradesh  તિરુપતિ મંદિરમાં ટોકન લેવા દરમિયાન નાસભાગ  6 શ્રદ્ધાળુઓના મોત
Advertisement
  • વૈકુંઠ દ્વાર દર્શન દસ દિવસ માટે ખુલ્યા છે
  • જેના કારણે હજારો લોકો ટોકન માટે ઉમટી પડ્યા
  • સ્થિતિ વણસતી જોઈને તિરુપતિ પોલીસે ચાર્જ સંભાળી લીધો

વૈકુંઠ દ્વાર દર્શન ટોકન માટે હજારો ભક્તો તિરુપતિના વિવિધ ટિકિટ કેન્દ્રો પર લાઇનમાં ઉભા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે બૈરાગી પાટિડા પાર્કમાં ભક્તોને લાઇનમાં ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. નાસભાગને કારણે અરાજકતા સર્જાઈ હતી, જેમાં 6 લોકોના મોત થયા હતા. આમાં મલ્લિકા નામની મહિલાનો પણ સમાવેશ થાય છે.

વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કેન્દ્રો પાસે નાસભાગ

બુધવારે આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કેન્દ્રો પાસે નાસભાગમાં છ ભક્તોના મોત થયા હતા. સવારથી હજારો શ્રદ્ધાળુઓ વૈકુંઠ દ્વાર દર્શન ટોકન માટે તિરુપતિના વિવિધ ટિકિટ કેન્દ્રો પર લાઇનમાં ઉભા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે બૈરાગી પાટિડા પાર્કમાં ભક્તોને લાઇનમાં ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. વૈકુંઠ દ્વાર દર્શન દસ દિવસ માટે ખુલ્યા છે, જેના કારણે હજારો લોકો ટોકન માટે ઉમટી રહ્યા છે.

Advertisement

સ્થિતિ વણસતી જોઈને તિરુપતિ પોલીસે ચાર્જ સંભાળી લીધો

નાસભાગને કારણે અરાજકતા સર્જાઈ હતી, જેમાં 6 લોકોના મોત થયા હતા. આમાં મલ્લિકા નામની મહિલાનો પણ સમાવેશ થાય છે. સ્થિતિ વણસતી જોઈને તિરુપતિ પોલીસે ચાર્જ સંભાળી લીધો અને સ્થિતિને કાબુમાં લીધી. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 4,000 લોકો દર્શન માટે લાઇનમાં ઉભા હતા. ટેમ્પલ કમિટીના ચેરમેન બીઆર નાયડુ પરિસ્થિતિને લઈને ઈમરજન્સી બેઠક કરી રહ્યા છે. બેઠક બાદ તેઓ મીડિયાને સંબોધશે.

Advertisement

સીએમ ચંદ્રબાબુ નાયડુએ દુઃખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તિરુપતિમાં વિષ્ણુ નિવાસમ પાસે તિરુમાલા શ્રીવરી વૈકુંઠ દ્વાર પર દર્શન માટે ટોકન મેળવવા માટે થયેલી ભાગદોડમાં શ્રદ્ધાળુઓના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. ટોકન લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા ત્યારે આ ઘટના બની હતી. મુખ્યમંત્રીએ આ ઘટનામાં ઘાયલોને આપવામાં આવી રહેલી સારવાર અંગે અધિકારીઓ સાથે ફોન પર વાત કરી હતી. મુખ્યમંત્રી સમયાંતરે જિલ્લા અને TTD અધિકારીઓ સાથે વાત કરીને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ છે. મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે જઈને રાહતના પગલાં લેવાનો આદેશ આપ્યો છે, જેથી ઘાયલોને સારી સારવાર મળી શકે.

જગન મોહન રેડ્ડીએ શ્રદ્ધાળુઓના મોત પર શોક વ્યક્ત કર્યો

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને YSRCP પ્રમુખ YS જગન મોહન રેડ્ડીએ નાસભાગમાં ભક્તોના દુ:ખદ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને સરકારને વિનંતી કરી કે ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત ભક્તોના ઝડપી સ્વસ્થ થાય તેવી પ્રાથર્ના કરી છે.

વૈકુંઠના દ્વાર 10 થી 19 જાન્યુઆરી સુધી ખોલવામાં આવ્યા હતા

એક દિવસ અગાઉ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એક્ઝિક્યુટિવ ઓફિસર (EO) જે શ્યામલા રાવે 10 થી 19 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાનારી વૈકુંઠ એકાદશી અને વૈકુંઠ દ્વાર દર્શનમની વિગતવાર વ્યવસ્થાઓની રૂપરેખા આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સામાન્ય યાત્રાળુઓને વૈકુંઠ દ્વાર દર્શન આપવા એ TTDની ટોચની પ્રાથમિકતા છે. રાવે જાહેરાત કરી હતી કે TTD એ આ સમયગાળા દરમિયાન સાત લાખ શ્રદ્ધાળુઓને સમાવવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. તેમણે માહિતી આપી હતી કે તમામ તીર્થયાત્રીઓ માટે સરળ અને સલામત દર્શનનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિશેષ પ્રોટોકોલ સાથે વૈકુંઠ દ્વાર દસ દિવસ સુધી ખુલ્લું રહેશે. 10 જાન્યુઆરીએ સવારે 4.30 કલાકે પ્રોટોકોલ દર્શનથી શરૂ થશે, ત્યારબાદ સવારે 8 વાગે તમામ દર્શન થશે.

આ પણ વાંચો: Amreli: લેટર કાંડ પીડિતા પાયલ ગોટીના ન્યાયનો મામલો બિચક્યો, પરેશ ધાનાણી ઉપવાસ કરશે

Tags :
Advertisement

Trending News

.

×