Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વટવામાં બુલેટ ટ્રેનની કામગીરીમાં ક્રેન પડવાના મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા

આખરે ભારે જહેમત બાદ ક્રેનને રેલવે ટ્રેક પરથી હટાવાઇ છે. તેમાં 20 કલાક બાદ રેલવે ટ્રેક પરથી ક્રેન હટાવાઇ છે
ahmedabad   વટવામાં બુલેટ ટ્રેનની કામગીરીમાં ક્રેન પડવાના મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા
Advertisement
  • આખરે ભારે જહેમત બાદ ક્રેનને રેલવે ટ્રેક પરથી હટાવાઇ
  • 20 કલાક બાદ રેલવે ટ્રેક પરથી ક્રેન હટાવાઇ છે
  • ક્રેન હટાવવા માટે 750 ટનની બે ક્રેન લાગી હતી કામે

Ahmedabad : વટવામાં બુલેટ ટ્રેનની કામગીરીમાં ક્રેન પડવાના મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આખરે ભારે જહેમત બાદ ક્રેનને રેલવે ટ્રેક પરથી હટાવાઇ છે. તેમાં 20 કલાક બાદ રેલવે ટ્રેક પરથી ક્રેન હટાવાઇ છે. ક્રેન હટાવવા માટે 750 ટનની બે ક્રેન કામે લાગી હતી. તથા 500 ટનની બે અને 130 ટનની એક ક્રેન પણ લાગી હતી. ક્રેન પડવાથી રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. હવે રેલવે વિભાગે પાટાનું સમારકામ શરૂ કર્યુ છે.

આજે બપોર સુધીમાં તમામ ટ્રેન રાબેતા મુજબ કાર્યરત થશે

આજે બપોર સુધીમાં તમામ ટ્રેન રાબેતા મુજબ કાર્યરત થશે. દુર્ઘટનાના કારણે 25થી વધુ ટ્રેન રદ કરતા લોકોને હાલાકી પડી છે. જેમાં 15 ટ્રેન આંશિક રદ, 5 ટ્રેન રિશિડ્યુલ, 6 ટ્રેન ડાયવર્ટ કરાઈ હતી. વટવાના રિંગરોડ પાસેના બ્રિજની બાજુમાં કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી હતી. તેમાં પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. તથા સદનસીબે ક્રેન તૂટવાની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન ટ્રેક લોન્ચર તૂટી પડવાના કારણે 25 ટ્રેન રદ કરવામાં આવી હતી. ક્રેન સીધી રેલવે ટ્રેક પર પડતાં રેલ વ્યવહારને અસર પહોંચી હતી. તેમજ રેલવે પોલીસે અને બુલેટ ટ્રેન અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તથા ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.

Advertisement

બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે

રાત્રે લગભગ 11વાગ્યે, વટવા (અમદાવાદ નજીક) ખાતે વાયડક્ટ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી કોંક્રિટ ગર્ડર્સનું લોન્ચિંગ પૂર્ણ કરીને પરત ફરી રહી હતી. ભૂલથી લોન્ચિંગ ગેન્ટ્રી તેની જગ્યાએથી લપસી ગઈ. આના કારણે નજીકની રેલવે લાઇનને અસર થઈ છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી. નિર્માણાધીન માળખાને કોઈ નુકસાન થયું નથી. બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

Advertisement

અસારવા બ્રિજ 22 ફેબ્રુઆરીથી એક મહિના માટે બંધ

અસારવા બ્રિજ 22 ફેબ્રુઆરીથી એક મહિના માટે બંધ છે. તેમજ વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા, અને પ્રેમ દરવાજાથી આવતા લોકો ઈદગાહ સર્કલ અને ઈદગાહ બ્રિજ તરફ જઈ શકશે. ગિરધર નગર સર્કલ પર થઈ અસારવા ક્રોસિંગથી જમણી બાજુ વળી શકશે. તથા સરસપુર, ગોમતીનગર અને બાપુનગર તરફથી આવતા લોકો અસારવા બ્રિજની નીચે થઈ સિવિલ હોસ્પિટલ અથવા ગિરધર નગર સર્કલ તરફ જઈ શકશે.

આ પણ વાંચો: Rashifal 25 march 2025 : આજે વસુમતી યોગથી આ રાશિઓને મળી રહ્યો છે લાભ

Tags :
Advertisement

Related News

featured-img
રાજકોટ

Amit Khunt Case : મુખ્ય આરોપી હજું સુધી ફરાર હોવાથી રીબડાનાં યુવાનોમાં રોષ!

featured-img
Top News

Operation Sindoor : વિદેશ મંત્રી એસ. જયશંકર ફ્રાન્સ, યુરોપિયન યુનિયન અને બેલ્જિયમ જવા રવાના

featured-img
ભાવનગર

Bhavnagar : શહીદ જવાન જયદીપભાઈ ડાભીનો પાર્થિવ દેહ ભાવનગર લવાયો, આવતીકાલે વતનમાં અંતિમવિધિ

featured-img
Top News

Manipur Shutdown: મણિપુરમાં ફરી તણાવ વધ્યો ! મેઇતેઇ નેતાની ધરપરડ બાદ 10 દિવસનું બંધનું એલાન

featured-img
ગુજરાત

Gir Somnath : તાલાલા, વેરાવળ સહિતનાં પથંકમાં ધરા ધ્રુજી, લોકોમાં ફફડાટ!

featured-img
ક્રાઈમ

Ahmedabad : રામોલમાં લાખોની કિંમતનાં MD ડ્રગ્સ સાથે મહિલા બાઉન્સર-રિક્ષાચાલકની ધરપકડ

Trending News

.

×