Tunnel Rescue Operation : ઓપરેશનની સમિક્ષા કરવા પહોંચી PMO ની ટીમ
ઉત્તરકાશી સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ સમગ્ર ઓપરેશનની સમિક્ષા કરવા માટે, સોમવારે વડા પ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પીકે મિશ્રા, ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, ઉત્તરાખંડના મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુ અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ માહિતી ઉત્તરાખંડ સરકારના સચિવ નીરજ ખૈરવાલે આપી હતી.
ઉત્તરકાશી ટનલ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા પ્રેસ બ્રીફિંગ કરવામાં આવી હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈને કહ્યું કે બધું બરાબર છે. ખાવા,પીવાની ચીજો અને દવા, બધું અંદર જઇ રહ્યું છે.
માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે છે
સૈયદ અતા હસનૈને કહ્યું કે માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમને તેના પરિવાર સાથે વાત કરવામાં આવી રહી છે. સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જરૂરિયાત મુજબ નવા મશીનો પણ લાવવામાં આવી રહ્યા છે.
Uttarkashi (Uttarakhand) tunnel rescue | Principal Secretary to PM, Dr PK Mishra visited the Silkyara tunnel and communicated with the workers trapped there. He also spoke with the families of the trapped workers. He also took a report of the food items being sent to the workers. pic.twitter.com/rnPvSc4JFI
— ANI (@ANI) November 27, 2023
વરસાદને કારણે ખાસ અસર નહીં થાય
તેમણે કહ્યું કે વરસાદની સંભાવના છે પરંતુ તેની વધુ અસર નહીં થાય. હું તમને ખાતરી આપવા માંગુ છું કે અમારા બધા ભાઈઓ સુરક્ષિત રીતે બહાર આવશે. દરેકના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમને બહાર કાઢવા માટે અમે કોઈપણ એજન્સીની મદદ લેવા તૈયાર છીએ.
મેન્યુઅલ ખોદકામ કરવામાં આવશે
હસનૈને કહ્યું કે સિલ્ક્યારા બાજુથી અટવાયેલું ઓગર મશીન દૂર કરવામાં આવ્યું છે. આજે સાંજથી, 2-2 ટીમોમાં મેન્યુઅલ ખોદકામ કરવામાં આવશે. અમે વર્ટિકલ ડ્રિલિંગમાં પણ 30-32 મીટર સુધી પહોંચી ગયા છીએ.
'પાઈપલાઈન 75 મીટર સુધી પહોંચી, 86 મીટરનું લક્ષ્ય'
NDMA સભ્યએ જણાવ્યું કે ત્રીજી લાઈફલાઈન તરીકે 6-8 ઈંચની પાઈપલાઈન 75 મીટર સુધી પહોંચી ગઈ છે અને તેને 86 મીટર સુધી જવાનું છે. કાટખૂણે ડ્રિલિંગનું કામ શરૂ થયું નથી. બારકોટ તરફ આડી લાઇન બનાવવા માટે આજે છઠ્ઠો ધડાકો કરવામાં આવ્યો છે. યોજના 6 ના ભાગ રૂપે, સિલ્ક્યારા બાજુથી જ એક ડ્રિફ્ટ રૂટ બનાવવામાં આવશે. આ પણ શરૂ થશે. જો અગાઉની મેન્યુઅલ ડ્રિલિંગ નિષ્ફળ જશે તો અન્ય યોજનાઓ ઝડપી કરવામાં આવશે. આજે સાંજથી અમને અંદાજ આવી શકશે કે હવે માત્ર 15 મીટરનું કામ બાકી છે.
આ પણ વાંચો----ચીનમાં રહસ્યમય બિમારી, ભારતમાં હોસ્પિટલોની તૈયારીની સમિક્ષા કરવા આદેશ