Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

FIRE : નોઈડામાં હાઇરાઇઝ બિલ્ડીંગમાં AC વિસ્ફોટને કારણે ભીષણ આગ

FIRE : નોઈડામાં એક બહુમાળી સોસાયટીમાં AC વિસ્ફોટને કારણે ભીષણ આગ (FIRE) ફાટી નીકળી છે, જેના કારણે ઘણા ફ્લેટ આગની લપેટમાં આવી ગયા છે. આ બનાવ નોઈડાના સેક્ટર 100 સ્થિત લોટસ બુલવાર્ડ સોસાયટીનો છે. એસીમાં બ્લાસ્ટ થતાં આખા ફ્લેટમાં આગ...
fire   નોઈડામાં હાઇરાઇઝ બિલ્ડીંગમાં ac વિસ્ફોટને કારણે ભીષણ આગ

FIRE : નોઈડામાં એક બહુમાળી સોસાયટીમાં AC વિસ્ફોટને કારણે ભીષણ આગ (FIRE) ફાટી નીકળી છે, જેના કારણે ઘણા ફ્લેટ આગની લપેટમાં આવી ગયા છે. આ બનાવ નોઈડાના સેક્ટર 100 સ્થિત લોટસ બુલવાર્ડ સોસાયટીનો છે. એસીમાં બ્લાસ્ટ થતાં આખા ફ્લેટમાં આગ લાગી હતી, જેના કારણે સોસાયટીમાં રહેતા લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી.

Advertisement

અફરા તફરી

નજીકના ફ્લેટમાં રહેતા લોકો તેમના ફ્લેટ છોડીને મેદાનમાં આવી ગયા હતા. આગ એટલી ભયાનક છે કે આસપાસના વધુ ફ્લેટમાં પણ આગ પ્રસરવાની શક્યતા છે. લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને આગની જાણ કરી હતી. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગાઝિયાબાદમાં પણ એસીમાં બ્લાસ્ટ થયો હતો

તમને જણાવી દઈએ કે બુધવારે જ નોઈડાની બાજુમાં આવેલા ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં એક ફ્લેટમાં એસી ફાટ્યું હતું. AC ફાટતાની સાથે જ ઘરમાં આગ લાગી હતી. સારા સમાચાર એ છે કે કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ એક કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.

Advertisement

AC માં કેમ બ્લાસ્ટ થાય છે?

AC ફાટવા માટે ઘણા કારણો હોઈ શકે છે - જેમ કે સફાઈ ના થવી, નબળી ગુણવત્તાના કેબલ અને પ્લગનો ઉપયોગ, વોલ્ટેજની વધઘટ, ખોટા ગેસનો ઉપયોગ.

Advertisement

ખરાબ વાયરિંગ

જો એસીના વાયરિંગમાં ઉપયોગમાં લેવાતા વાયર, પ્લગ, સોકેટ અને સર્કિટ બ્રેકર સારી ગુણવત્તાના ન હોય તો તેનાથી પણ એસીમાં આગ લાગી શકે છે. આવા કોઈપણ અકસ્માતથી બચવા માટે એસીમાં સારી સામગ્રીનો ઉપયોગ કરવો જરૂરી છે.

વોલ્ટેજ વધઘટ

એસી સાથે, અન્ય ઇલેક્ટ્રિક સામાન પણ વોલ્ટેજની વધઘટથી પ્રભાવિત થાય છે. દેશમાં વીજળીને લઈને આ એક મોટી સમસ્યા છે. જેના કારણે એસીમાં આગ પણ લાગી શકે છે.

ખોટા ગેસનો ઉપયોગ

એર કંડિશનરમાં ખાસ પ્રકારના ગેસનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે AC માં ફ્રીઓન ગેસનો ઉપયોગ થાય છે. તે આગનું કારણ નથી, પરંતુ તે ગ્લોબલ વોર્મિંગમાં નોંધપાત્ર યોગદાન આપે છે R410a નામનો ગેસ 2019 પછી ઉત્પાદિત નવા એસીમાં વપરાય છે, જે Puron હોય છે. તે આગ પણ પકડતો નથી. જો કે, ખોટા ગેસનો ઉપયોગ કરવાથી ઓવરહિટીંગ અને અન્ય કોઈ રીતે આગ લાગી શકે છે.

આ પણ વાંચો------ Insurance : હવે 1 કલાકમાં આપવી પડશે કેશલેસ સારવારની મંજૂરી

Tags :
Advertisement

.