કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના ટળી, સામે આવ્યો ખતરનાક Video
Kedarnath Helicopter Emergency Landing : કેદારનાથમાં એક ખાનગી કંપનીના હેલિકોપ્ટરને ટેક્નિકલ ખામીના કારણે હેલિપેડથી થોડા જ મીટર દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી અને હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. હેલિકોપ્ટરમાં 6 શ્રદ્ધાળુઓ સહિત કુલ 7 લોકો સવાર હતા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને બાબા કેદારનાથની કૃપા કહી રહ્યા છે.
- કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના ટળી
- પાયલટની સૂઝબૂઝથી સુરક્ષિત લેન્ડિંગ
- હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત
- હેલિપેટથી 100 મીટર દૂર ગટર પાસે લેન્ડિંગ
- ઉડ્ડયન સમયે જ સર્જાઈ હતી તકનીકી ખામી
- દુર્ઘટના સમયે 6 લોકો હેલિકોપ્ટરમાં હતા
આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે, હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે અને ભક્તોને ભગવાન કેદારનાથના દર્શન કરાવવામાં આવ્યા છે. રુદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટના શુક્રવારે સવારે 7 વાગ્યે બની હતી જ્યારે ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલિકોપ્ટરે ગુપ્તકાશી અને સોનપ્રયાગ વચ્ચેના શેરસી હેલિપેડ પરથી ઉડાન ભરી હતી. પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દરમિયાન ટેક્નિકલ ખામીની જાણકારી મળતા જ પાયલોટે કેદારનાથ હેલિપેડથી થોડા અંતરે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. પાયલોટ કેપ્ટન કલ્પેશે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
A Leonardo A119 Koala helicopter owned by Kestrel Aviation, Callsign VT-CLR, lost control at about 0700h today morning as it approached the Kedarnath Helipad for landing in Uttarakhand.
It was a miraculous escape for the crew and the six passengers onboard the helicopter.
The… pic.twitter.com/9oMEUhDtZY— Ashok Bijalwan अशोक बिजल्वाण 🇮🇳 (@AshTheWiz) May 24, 2024
રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ ગહરવારે જણાવ્યું કે, પાયલટની સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. તેમણે કહ્યું કે ટેકનિકલ ખામીની જાણકારી મળ્યા બાદ પાયલોટે ધીરજ ગુમાવી ન હતી અને હેલિકોપ્ટરનું સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ઘટના બાદ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને મુસાફરોની મદદ કરી અને તેમને મંદિર સુધી લઈ ગયા. હેલિકોપ્ટરમાં તમિલનાડુના 6 ભક્તો શિવાજી, ઉલ્લુ બંકટ ચલમ, મહેશ્વરી, સુંદરા રાજ, સુમાથી, મયુર બાગવાની હતા.
આ પણ વાંચો - પુણે રોડ અકસ્માતમાં ટ્વીસ્ટ, આરોપીનો દાવો – ફેમિલી ડ્રાઈવર ચલાવી રહ્યો હતો પોર્શ કાર
આ પણ વાંચો - Dombivli Boiler Blast : ફેક્ટરી બ્લાસ્ટમાં અત્યાર સુધી 9 લોકોના મોત, બોઈલર ફાટવાનો સામે આવ્યો Video