Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

J&K માં આતંકીઓનો અંધાધૂંધ ગોળીબાર, ડોક્ટર સહિત 7ના મોત

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં ગઈકાલે રાત્રે મોટો આતંકી હુમલો આતંકીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 7 લોકોના મોત મૃતકોમાં ડોક્ટર અને મજૂરોનો સમાવેશ ગૃહમંત્રી અમિત શાહ તરફથી કડક કાર્યવાહીના સંકેત J&K Attack : જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં ગઈકાલે રાત્રે મોટો આતંકી હુમલો (J&K Attack )...
j k માં આતંકીઓનો અંધાધૂંધ ગોળીબાર  ડોક્ટર સહિત 7ના મોત
  • જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં ગઈકાલે રાત્રે મોટો આતંકી હુમલો
  • આતંકીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 7 લોકોના મોત
  • મૃતકોમાં ડોક્ટર અને મજૂરોનો સમાવેશ
  • ગૃહમંત્રી અમિત શાહ તરફથી કડક કાર્યવાહીના સંકેત

J&K Attack : જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં ગઈકાલે રાત્રે મોટો આતંકી હુમલો (J&K Attack ) થયો હતો. આતંકીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 7 લોકોના મોત થયા છે. મૃતકોમાં ડોક્ટર અને મજૂરોનો સમાવેશ થાય છે. 2 બંદૂકધારીઓએ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા કામદારો પર ગોળીબાર કર્યોહતો. હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી છે, જે લશ્કર-એ-તૈયબાની શાખા છે.

Advertisement

મૃત્યુ પામેલાઓમાં એક કાશ્મીરી ડોક્ટર પણ સામેલ

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં શ્રીનગર-લેહ નેશનલ હાઈવે પર સુરંગના નિર્માણ કાર્યમાં રોકાયેલા કાશ્મીરી ડૉક્ટર, મજૂરો અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા લોકો 3 રાજ્યોના રહેવાસી હતા. મૃતકોની ઓળખ બિહારના રહેવાસી સેફ્ટી મેનેજર ફહીમાન નસીન, બિહારના રહેવાસી તાહીર એન્ડ સન્સ કંપનીના કર્મચારીઓ મોહમ્મદ હનીફ અને કલીમ, મધ્યપ્રદેશના રહેવાસી મિકેનિકલ એન્જિનિયર અનીફ શુક્લા, કાશ્મીરના રહેવાસી ડૉક્ટર શાહનવાઝ અને ગુરમીત સિંહ તરીકે થઈ છે. 9 જૂન, 2024 ના રોજ રિયાસીમાં થયેલા આતંકવાદી હુમલા પછી આ આતંકવાદી હુમલો જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ભયંકર હુમલો હતો. તે સમયે આતંકવાદીઓએ વૈષ્ણો દેવીના ભક્તોને લઈ જતી બસ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 9 શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા અને દેશભરમાં આ હુમલાની નિંદા કરવામાં આવી હતી.

આ પણ વાંચો---VIDEO: દિલ્હીમાં ફરી બબાલ, બે જૂથોનો સામસામે આડેધડ ગોળીબાર, એકનું મોત

Advertisement

ગૃહમંત્રી અમિત શાહ તરફથી કડક કાર્યવાહીના સંકેત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. તેમણે X પર લખ્યું કે જમ્મુ અને કાશ્મીરના ગંગાંગિરમાં નાગરિકો પરનો ક્રૂર આતંકવાદી હુમલો કાયરતાપૂર્ણ અને ધિક્કારપાત્ર કૃત્ય છે. આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં અને અમારા સુરક્ષા દળો તરફથી વળતી કાર્યવાહીનો સામનો કરવો પડશે. નવી સરકારના શપથ ગ્રહણ બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર આ હુમલો થયો છે. 2019 માં, રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવામાં આવ્યું હતું અને કલમ 370 હેઠળ તેનો વિશેષ દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

Advertisement

આતંકવાદી હુમલાની પુષ્ટિ

આ આતંકવાદી હુમલો તે શહેરમાં થયો હતો, જે રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પૈતૃક વિધાનસભા બેઠક છે. પોલીસ મહાનિરીક્ષક વીકે બિરડીએ આતંકવાદી હુમલાની પુષ્ટિ કરી છે. ઓમર અબ્દુલ્લાના દાદા શેખ અબ્દુલ્લા અને પછી તેમના પિતા ફારૂક અબ્દુલ્લા આ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય રહ્યા છે.

આ હુમલો એક ગીચ જંગલ વિસ્તારમાં થયો

પોલીસ મહાનિરીક્ષક વીકે બિરડીએ કહ્યું કે આતંકવાદીઓના ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓ મૃત્યુ પામ્યા હતા. આ હુમલો એક ગીચ જંગલ વિસ્તારમાં થયો હતો, પરંતુ સુરક્ષા દળોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને વિસ્તારને ઘેરી લીધો હતો.

આ પણ વાંચો---Jammu & Kashmir: ગાંદરબલમાં આતંકવાદી હુમલો,શ્રમીકોના 2ના મોત

Tags :
Advertisement

.