Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajasthan માં બસનો ભયંકર અકસ્માત, 12 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

Rajasthan માં ગંભીર અકસ્માત સાલાસર જતી બસ પૂલ સાથે અથડાઈ પોલીસે ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા રાજસ્થાન (Rajasthan)ના સીકરમાં એક મોટો અકસ્માત થયો છે. સાલાસર તરફથી આવતી બસ પૂલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. આ અકસ્માત...
rajasthan માં બસનો ભયંકર અકસ્માત  12 લોકોના મોત  અનેક લોકો ઘાયલ
Advertisement
  1. Rajasthan માં ગંભીર અકસ્માત
  2. સાલાસર જતી બસ પૂલ સાથે અથડાઈ
  3. પોલીસે ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા

રાજસ્થાન (Rajasthan)ના સીકરમાં એક મોટો અકસ્માત થયો છે. સાલાસર તરફથી આવતી બસ પૂલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. આ અકસ્માત લક્ષ્મણગઢ પાસે થયો હતો. ત્રણ ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણા મુસાફરોની હાલત નાજુક છે. ઘાયલોને લક્ષ્મણગઢ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. લક્ષ્મણગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Advertisement

12 લોકોના મોત...

પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના લક્ષ્મણગઢમાં બપોરે 2:00 વાગ્યે બની હતી, જયારે સાલાસરથી આવતી એક ખાનગી બસ કાબૂ બહાર ગઈ હતી અને પૂલ સાથે અથડાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ભુવન ભૂષણ યાદવે જણાવ્યું કે અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં મુસાફરો ઘાયલ થયા છે. જેમને લક્ષ્મણગઢ અને સીકરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો : Delhi : હું તમારી સેવા કરી શકીશ નહીં, PM મોદીએ આવું શા માટે કહ્યું?

Rajasthan ના CM એ પોસ્ટ કરી...

દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા CM ભજનલાલ શર્માએ ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કર્યું, "Rajasthan માં સીકરના લક્ષ્મણગઢ વિસ્તારમાં બસ દુર્ઘટનામાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મારી ઊંડી સંવેદના મૃતકોના શોકગ્રસ્ત પરિવારો સાથે છે." CM એ સંબંધિત અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો : PM-JAY Scheme નો પીએમ મોદીએ વધાર્યો વ્યાપ, વાંચો કેવી રીતે મેળવી શકો લાભ

Tags :
Advertisement

.

×