IND vs ENG : ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો લીધો નિર્ણય
IND vs ENG : T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ (IND vs ENG)વચ્ચે બીજી સેમીફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચ ગયાનાના જ્યોર્જટાઉન શહેરના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં ઈંગ્લિશ કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
જો વરસાદને કારણે મેચ રદ્દ થાય તો?
તમને જણાવી દઈએ કે ICCએ બીજી સેમીફાઈનલ માટે રિઝર્વ ડે નથી રાખ્યો. તેના બદલે 4 કલાક 10 મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. જો વરસાદને કારણે વધારાના સમયમાં પણ મેચ રમી શકાતી નથી અને તેને રદ કરવાની જરૂર છે, તો તેના ગ્રુપ સ્ટેજમાં ટોચની ટીમને ફાયદો થશે અને તે સીધો ફાઇનલમાં પ્રવેશ કરશે. એટલે કે તેનો ફાયદો માત્ર ભારતને જ મળશે. ભારતીય ટીમે સુપર-8ના તેના ગ્રુપ-1માં ટોચ પર રહીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવી સ્થિતિમાં જો મેચ રદ્દ થશે તો ભારતીય ટીમનું ફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત બની જશે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ બહાર થઈ જશે. જોસ બટલરની કપ્તાનીવાળી ઈંગ્લેન્ડની ટીમ સુપર-8ના તેના ગ્રુપ-2માં બીજા સ્થાને હતી.
ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક જંગ
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જ્યારે પણ ભારત અને ઈંગ્લેન્ડની ટીમો આમને-સામને આવી છે ત્યારે બંને વચ્ચે રોમાંચક જંગ જોવા મળ્યો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 23 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 12 અને ઈંગ્લેન્ડે 11 મેચ જીતી છે.ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચેના મુકાબલાના આંકડા જોઈએ તો તેમાં પણ ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમો સમાન દેખાય છે. T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે કુલ 4 મેચ રમાઈ છે જેમાં બંનેએ 2-2 મેચ જીતી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ 5મી ટક્કર છે.
ભારત Vs ઈંગ્લેન્ડ સામ-સામે
કુલ T20 મેચઃ 23
ભારત જીત્યું: 12
ઇંગ્લેન્ડ જીત્યું: 11
T20 વર્લ્ડ કપમાં
કુલ T20 મેચઃ 4
ભારત જીત્યું: 2
ઇંગ્લેન્ડ જીત્યું: 2
આ મેચમાં ભારત-ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ.
ઈંગ્લેન્ડની ટીમ: ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), જોની બેરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને રીસ ટોપલી.