બ્રિટીનના PM ઋષિ સુનક પહોંચ્યા મોરારી બાપુની રામકથામાં, કહ્યું PM તરીકે નહીં હિન્દુ તરીકે આવ્યો છું
15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ પર બ્રિટનના પીએમ ઋષિ સુનક કેમ્બ્રિઝ યુનિવર્સિટીમાં ચાલી રહેલી પૂજ્ય શ્રી મોરારી બાપુની રામ કથામાં પહોંચ્યા હતા.. તેમણે કહ્યું કે ભારતના સ્વાતંત્ર્ય પર્વ પર આ રીતે રામકથામાં ભાગ લેવો મારા માટે ગર્વની વાત છે. હું આજે...
06:20 PM Aug 16, 2023 IST
|
Vishal Dave
15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ પર બ્રિટનના પીએમ ઋષિ સુનક કેમ્બ્રિઝ યુનિવર્સિટીમાં ચાલી રહેલી પૂજ્ય શ્રી મોરારી બાપુની રામ કથામાં પહોંચ્યા હતા.. તેમણે કહ્યું કે ભારતના સ્વાતંત્ર્ય પર્વ પર આ રીતે રામકથામાં ભાગ લેવો મારા માટે ગર્વની વાત છે. હું આજે અહીં એક વડા પ્રધાન તરીકે નહીં પણ એક હિંદુ તરીકે આવ્યો છું. મારા માટે આસ્થા વ્યક્તિગત વિષય છે. આ મારા જીવનની દરેક ક્ષણમાં અને બાબતમાં મારું માર્ગદર્શન કરે છે.
Next Article