લોકસભાની કાર્યવાહી દમિયાન અચાનક કૂદી પડ્યા બે લોકો, રાજેન્દ્ર અગ્રવાલે સમગ્ર ઘટનાનું વિગતવાર વર્ણન કર્યું
સંસદ ભવનમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન સંસદની સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ છે. લોકસભામાં કાર્યવાહી દરમિયાન, બે વ્યક્તિઓ પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા અને ગૃહની મધ્યમાં પહોંચીને કાર્યવાહીને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સૌથી મોટી વાત એ છે કે, આજે સંસદ હુમલાની વરસી હતી. અને આ જ દિવસે સંસદમાં આ ઘટના બની જેનાથી સૌ કોઇ ડરી ગયા હતા. જે લોકો ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા હતા તેઓએ સાંસદોના ટેબલ અને ખુરશીઓ પર ચઢીને હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન ભાજપના સાંસદ ખગેન મુર્મુ ગૃહના ટેબલ પર પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. જ્યારે રાજેન્દ્ર અગ્રવાલ અધ્યક્ષની ખુરશી પર હતા. તેમણે આ સમગ્ર ઘટનાનો વિગતવાર વર્ણન કર્યો છે.
Anti-terror unit special cell of the Delhi Police arrives inside the Parliament to question the people who caused the security breach at the Lok Sabha. https://t.co/ESTLeYF4Fv
— ANI (@ANI) December 13, 2023
લોકસભામાં અરાજકતાના માહોલ સર્જાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, બેઠક પરથી કૂદીને બે લોકોએ લોકસભા ચેમ્બરની વચ્ચે આવીને ગેસના શેલ ફેંક્યા હતા, જેના કારણે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન ધુમાડો થયો હતો અને ગૃહમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. હાલમાં આ બે લોકો કોણ છે અને તેઓએ આવું શા માટે કર્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. કૂદનાર અજાણ્યા વ્યક્તિની સંસદ ભવનમાં હાજર સુરક્ષાકર્મીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૃહની કાર્યવાહી તાત્કાલિક અસરથી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
Security breach reported inside Lok Sabha as 2 people jumped down from the gallery and reportedly hurled gas-emitting objects. Details awaited. pic.twitter.com/o7B7MPq9E6
— ANI (@ANI) December 13, 2023
આ જાણી જોઈને કરવામાં આવ્યું હતું : રાજેન્દ્ર અગ્રવાલ
આ સમગ્ર મામલે રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું કે, જ્યારે એક વ્યક્તિએ ગેલેરીમાંથી કૂદકો માર્યો ત્યારે એવું લાગતું હતું કે તે પડી ગયો હતો. આ પછી જ્યારે અન્ય વ્યક્તિએ કૂદકો માર્યો ત્યારે ખબર પડી કે આ જાણી જોઈને કરવામાં આવ્યું હતું. એક વ્યક્તિએ ગેસ છોડ્યો, જ્યારે બીજો બેન્ચને ઠોંકી રહ્યો હતો. રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું કે, આ લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા કે નહીં તે જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે આ લોકોના ઈરાદા શું હતા તે સ્પષ્ટ નથી, પરંતુ તેઓ કોઈક વિચાર કરીને આવ્યા હતા. સુરક્ષાકર્મીઓએ આ લોકોને તાત્કાલિક પકડી લીધા હતા.
#WATCH | Security breach in Lok Sabha | BJP MP Rajendra Agarwal, who was presiding over the Chair of Speaker, says "There is a loophole for sure. When the first person came down, we thought he might have fallen but when the second person started coming down, all of us became… pic.twitter.com/J8C9VmT1j2
— ANI (@ANI) December 13, 2023
સાંસદ ડિમ્પલ યાદવે ઘટનાને સુરક્ષામાં ચૂક ગણાવી
રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું કે, અમે સ્વીકારીએ છીએ કે સુરક્ષામાં ખામી રહી છે અને ઘટનાની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ લોકોના ઈરાદા શું હતા તે સ્પષ્ટ નથી. લોકસભામાં સુરક્ષામાં ખામી અંગે સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે, "આ સંપૂર્ણ સુરક્ષામાં ચૂક છે. આજે ગૃહની અંદર કંઈપણ થઈ શક્યું હોત. અહીં જે કોઈ આવે છે, પછી તે મુલાકાતીઓ હોય કે પત્રકારો હોય, કોઈના ટેગ નથી." સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ."
#WATCH | Security breach at Lok Sabha | Samajwadi Party (SP) MP Dimple Yadav says, "All those who come here - be it visitors or reporters - they don't carry tags. So, I think the government should pay attention to this. I think this is complete security lapse. Anything could have… pic.twitter.com/u5Q8ORxT3w
— ANI (@ANI) December 13, 2023
અધીર રંજન ચૌધરીએ ઘટના પર નારાજગી વ્યક્ત કરી
બીજી તરફ, કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું, "બે યુવકોએ ગેલેરીમાંથી કૂદીને કંઈક ફેંક્યું, જેના કારણે ગેસ નીકળી રહ્યો હતો. તેઓને સાંસદોએ પકડી લીધા. આ પછી સુરક્ષાકર્મીઓએ તેમને બહાર કાઢ્યા. ગૃહની કાર્યવાહી ચાલુ હતી. બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. તે ચોક્કસપણે સુરક્ષામાં ચૂક છે."
#WATCH | Leader of Congress in Lok Sabha, Adhir Ranjan Chowdhury speaks on an incident of security breach and commotion in the House.
"Two young men jumped from the gallery and something was hurled by them from which gas was emitting. They were caught by MPs, they were brought… pic.twitter.com/nKJf7Q5bLM
— ANI (@ANI) December 13, 2023
સંસદની બહાર બે લોકોએ ધુમાડો ઉડાવીને પ્રદર્શન કર્યું
બીજી તરફ સંસદમાં સુરક્ષા ક્ષતિ પહેલા, લોકો પરિવહન ભવનની સામેથી વિરોધ કરી રહ્યા હતા અને સંસદ ભવન તરફ આગળ વધી રહ્યા હતા. આમાં એક મહિલા સામેલ છે. દિલ્હી પોલીસે બંને પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા છે અને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ ગયા છે, હવે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ લોકો રંગબેરંગી ધુમાડા ઉડાડીને વિરોધ કરી રહ્યા હતા. આ સમગ્ર ઘટના સંસદની બહાર બની હતી.
આ પણ વાંચો - લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક,સદનની કાર્યાવાહી દરમિયાન ઘૂસ્યા બે શખ્સ
આ પણ વાંચો - ભારતીય સંસદ પર હુમલાની આજે 22મી વરસી,PM મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી