Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amarnath Yatra ને લઈને ગૃહમંત્રી Amit Shah એ કરી મહત્વની બેઠક, સુરક્ષા સ્થિતિની કરી સમીક્ષા

અમરનાથ શ્રાઈન બોર્ડ અને જમ્મુ અને કાશ્મીર પ્રશાસન 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા (Amarnath Yatra) માટે તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આજે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અંગે બેઠક યોજી હતી. જેમાં અમરનાથ યાત્રા...
amarnath yatra ને લઈને ગૃહમંત્રી amit shah એ કરી મહત્વની બેઠક  સુરક્ષા સ્થિતિની કરી સમીક્ષા
Advertisement

અમરનાથ શ્રાઈન બોર્ડ અને જમ્મુ અને કાશ્મીર પ્રશાસન 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા (Amarnath Yatra) માટે તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આજે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અંગે બેઠક યોજી હતી. જેમાં અમરનાથ યાત્રા (Amarnath Yatra)ને લઈને સુરક્ષાની સ્થિતિ પર પર ચર્ચા કરવામાં આવી છે. ગૃહમંત્રીએ NSA અજિત ડોભાલ અને સેના પ્રમુખો સાથે આ ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું.

Advertisement

Advertisement

આતંકવાદ વિરોધી ગતીબીધિઓ પર રહેશે નજર...

સુત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં ગૃહમંત્રીને જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. આગામી દિવસોમાં સુરક્ષા દળો ત્યાં આતંકવાદ વિરોધી ગતિવિધિઓ અને કામગીરી પર વધુ તીવ્ર બનાવી શકે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનની સૂચના મુજબ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં આવશે.

Advertisement

આ અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી...

આ બેઠક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ હાજરી આપી હતી. આ સાથે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, ઇન્ટેલિજન્સ બ્યુરોના નિર્દેશક તપન ડેકા, CRPF ના મહાનિર્દેશક અનીશ દયાળ સિંહ, જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક આરઆર સ્વેન અને અન્ય ઉચ્ચ સુરક્ષા અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં આર્મી ચીફ, વાઈસ ચીફ, સેનાના 15 અને 16 કોર્પ્સ કમાન્ડરો પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે, અમરનાથ યાત્રા (Amarnath Yatra) 29 જૂનથી શરુ થશે અને 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. અમરનાથ યાત્રા (Amarnath Yatra) માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુકિંગ 1 જૂનથી શરૂ થશે. ગુફા માટે હેલિકોપ્ટર સેવાના દરો ટૂંક સમયમાં શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે.

અમરનાથ યાત્રા બે રૂટથી થાય છે...

અમે તમને જણાવી દઈએ કે, વાર્ષિક તીર્થયાત્રા બે માર્ગો દ્વારા થાય છે- અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિલોમીટર લાંબો નુનવાન-પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં ટૂંકો પરંતુ 14 કિલોમીટર લાંબો બાલટાલ માર્ગ. આ યાત્રા દૂર-દૂરથી હજારો ભક્તોને આકર્ષે છે જેઓ અમરનાથ ગુફા મંદિરની અંદર ભગવાન શિવના કુદરતી રીતે બનેલા બરફના હિમલિંગને જોવા માટે આવે છે.

આ પણ વાંચો : Amit Malviya એ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું- કોંગ્રેસ ખટા-ખટ, ટકા-ટક જનતાને લૂંટી રહી છે…

આ પણ વાંચો : EVM Machine Hacked: મુંબઈમાં શિંદે ગુટની શિવસેનાના ઉમેદવાર અને EVM મશિનમાં મોટો ઘટસ્ફોટ

આ પણ વાંચો : BIHAR : પટના પાસે ગંગા દશેરાના દિવસે જ બોટ ગંગામાં ડૂબી, 17 લોકો ડૂબ્યા

Tags :
Advertisement

Trending News

.

×