Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

G-20 Summit : જાણો શા માટે મોદીની સામે મૂકવામાં આવી છે આ 'નેમ પ્લેટ'...?, સભ્ય દેશોને આપ્યો મોટો સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટમાં પોતાનું સંબોધન કર્યું હતું. PMએ આફ્રિકન યુનિયનને G20નો સભ્ય બનાવ્યો છે. તેમણે આ જાહેરાત કરી હતી. આ સિવાય વડાપ્રધાન મોદીએ આતંકવાદ, સાયબર સુરક્ષા અને અર્થવ્યવસ્થા વિશે વાત કરી હતી. આફ્રિકન યુનિયન G20નું કાયમી સભ્ય બની...
g 20 summit   જાણો શા માટે મોદીની સામે મૂકવામાં આવી છે આ  નેમ પ્લેટ       સભ્ય દેશોને આપ્યો મોટો સંદેશ
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટમાં પોતાનું સંબોધન કર્યું હતું. PMએ આફ્રિકન યુનિયનને G20નો સભ્ય બનાવ્યો છે. તેમણે આ જાહેરાત કરી હતી. આ સિવાય વડાપ્રધાન મોદીએ આતંકવાદ, સાયબર સુરક્ષા અને અર્થવ્યવસ્થા વિશે વાત કરી હતી. આફ્રિકન યુનિયન G20નું કાયમી સભ્ય બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આની જાહેરાત કરી હતી. પીએમએ આફ્રિકન યુનિયનના પ્રમુખને પણ ગળે લગાવ્યા અને અભિનંદન પાઠવ્યા. G20 સમિટની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત પ્રવચન સાથે થઈ હતી. G20ના વર્તમાન અધ્યક્ષ તરીકે ભારત સમિટનું આયોજન કરી રહ્યું છે. આ પછી બ્રાઝિલ આ જવાબદારી સંભાળશે. G-20 સમિટને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ દેશનું નામ લેતી વખતે 'ભારત' શબ્દનો ઉપયોગ કર્યો હતો.

પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે જી-20 સમિટના ઉદ્ઘાટન ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે મૂકવામાં આવેલી પ્લેટ પર ભારત લખવામાં આવ્યું હતું . આ દિવસોમાં દેશમાં ચાલી રહેલ INDIA અને ભારત વિવાદને આનાથી વેગ મળ્યો છે અને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે INDIA નું નામ બદલીને ભારત કરી શકાય છે. જી-20 સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે કોવિડ-19 મહામારી પછી વિશ્વ વિશ્વાસના અભાવથી પીડાઈ રહ્યું છે અને યુદ્ધે તેને વધુ ઊંડું કર્યું છે. મોરોક્કોમાં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે આ દુઃખની ઘડીમાં આખું વિશ્વ મોરોક્કોની સાથે છે, અમે તમામ શક્ય મદદ કરવા તૈયાર છીએ.

Advertisement

Advertisement

નરેન્દ્ર મોદીએ G-20 સમિટના સ્થળ, ભારત મંડપમાં હાથ મિલાવીને વિશ્વ નેતાઓનું સ્વાગત કર્યું અને આ દરમિયાન, પૃષ્ઠભૂમિમાં, ઓડિશાના પુરીમાં સૂર્ય મંદિરના કોણાર્ક ચક્રની પ્રતિકૃતિ સ્વાગત સ્થળ પર બિરાજમાન હતી. કોણાર્ક ચક્રનું નિર્માણ 13મી સદીમાં રાજા નરસિંહદેવ-1ના શાસન દરમિયાન થયું હતું. કુલ 24 સ્પોક્સ સાથેના આ ચક્રને પણ ત્રિરંગામાં દર્શાવવામાં આવ્યું છે. આ ચક્ર ભારતના પ્રાચીન જ્ઞાન, અદ્યતન સભ્યતા અને સ્થાપત્ય શ્રેષ્ઠતાનું પ્રતીક છે.

આ ચક્રનું પરિભ્રમણ સમયના ચક્ર સાથે પ્રગતિ અને સતત પરિવર્તનનું પ્રતીક છે. તે લોકશાહીના ચક્રનું શક્તિશાળી પ્રતીક છે, જે લોકશાહી આદર્શોની લવચીકતા અને સમાજમાં પ્રગતિ માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડા પ્રધાન મોદી વિશ્વના ટોચના નેતાઓની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા શનિવારે સવારે અહીં G20 સમિટના સ્થળ ભારત મંડપમ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને અન્ય અધિકારીઓ પણ હતા.

આ પણ વાંચો : G20 Summit 2023 Day 1 : PM મોદીએ બાઇડનને કોણાર્ક ચક્ર વિશે આપી જાણકારી, ભારત મંડપમમાં મોદી સુનકને ભેટી પડ્યા

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

Afghanistan માં ભૂકંપના જોરદાર આંચકા, તીવ્રતા 4.9, લોકો ઘર છોડીને ભાગ્યા

featured-img
ગાંધીનગર

Gujarati Top News : આજે 21 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
રાષ્ટ્રીય

આજે જ ખતમ થયો હતો ઇમરજન્સીનો કાળો અધ્યાય, લોકશાહીની પુનઃસ્થાપનાનો ઉદય; જાણો કહાની ઇમરજન્સીની

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 21 March 2025 : ચંદ્ર અને ગુરુના સંસપ્તક યોગની રચનાને કારણે આ રાશિઓને થશે ફાયદો

featured-img
અમદાવાદ

Ahmedabad : ચાંદખેડામાં રાતે 10 લોકોનું ટોળું હથિયારો સાથે ઘરમા ઘૂસ્યું, તોડફોડ કરી, ધમકીઓ આપી

featured-img
રાષ્ટ્રીય

પપ્પા ડ્રમમાં છે,સૌરભના શરીરના 15 ટુકડા કરાયા હતા! 6 વર્ષની દીકરીએ જે કહ્યું..

Trending News

.

×