Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi Liquor Scam Case : કેજરીવાલને ન મળી રાહત, કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી

Kejriwal Interim Bail Plea Rejected : કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાલ જેલમાં જ રહેવું પડશે. કોર્ટે તેમની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. સ્વાસ્થ્યને ટાંકીને કેજરીવાલે તપાસ માટે સાત દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. ત્યારે...
delhi liquor scam case   કેજરીવાલને ન મળી રાહત  કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી

Kejriwal Interim Bail Plea Rejected : કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાલ જેલમાં જ રહેવું પડશે. કોર્ટે તેમની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. સ્વાસ્થ્યને ટાંકીને કેજરીવાલે તપાસ માટે સાત દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. ત્યારે એક તરફ કોર્ટે તેમને તબીબી આધાર પર વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને બીજી તરફ ન્યાયિક કસ્ટડી 14 દિવસ વધારવાનો આદેશ આપ્યો હતો.

Advertisement

કોર્ટે કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી

દિલ્હી લિકર પોલિસી અને તેનાથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે આ અરજીને ફગાવી દીધી અને કહ્યું કે જેલ પ્રશાસને કેજરીવાલની બીમારી સંબંધિત તપાસ કરવી જોઈએ. આ રીતે કોઈને જામીન નહીં મળે. રાઉઝ એવન્યુ કોર્ટે જામીન અરજી ફગાવી દેતાં કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 19 જૂન સુધી લંબાવી દીધી છે. કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કરતા EDએ કહ્યું હતું કે કેજરીવાલ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

Advertisement

EDનો આરોપ છે કે સતત પ્રચાર કરી રહેલા કેજરીવાલની તબિયત જ્યારે આત્મસમર્પણ કરવાનો સમય આવ્યો ત્યારે બગડી હતી. કેજરીવાલ વતી કોર્ટમાં હાજર થયેલા એડવોકેટ વિવેક જૈને કહ્યું કે મુખ્યમંત્રીના વજનમાં કેટલાક ફેરફાર થયા છે. જો કે, કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રી વતી યોગ્ય પિટિશન દાખલ કરવી જોઈએ અને તે સમજાવે કે તેઓ શા માટે રાહત ઈચ્છે છે. ED તરફથી હાજર રહેલા SG તુષાર મહેતાએ અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે તે સુનાવણીને લાયક નથી.

જેલમાં જતા પહેલા કેજરીવાલે શું કહ્યું હતું?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન પર હોવાના કારણે આશા વ્યક્ત કરી હતી કે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના બીજા દિવસે તેમને મુક્ત કરવામાં આવશે. કેજરીવાલે પોતાના અનેક ભાષણોમાં કહ્યું હતું કે જો દિલ્હીની જનતા તેમને સાથ આપશે તો તે બીજા દિવસે જેલમાંથી બહાર આવી જશે. બાદમાં એક ઈન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો INDIA ગઠબંધન સરકાર બનશે તો કાયદામાં સુધારો કરવો જોઈએ અને જેલમાં બંધ નિર્દોષ લોકોની મુક્તિનો રસ્તો સાફ થઈ જશે.

Advertisement

આ પણ વાંચો - ચૂંટણી પરિણામ પહેલા કેજરીવાલ થશે જેલ ભેગા, SC એ અરજી સ્વીકારવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચો - Delhi : અરવિદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યો મોટો ઝટકો

Tags :
Advertisement

.