Actually sir...અને પછી ISRO ના કન્ટ્રોલ રુમમાં ઠહાકા લાગ્યા..જુઓ Video
દેશના ત્રીજા ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3' (Chandrayaan-3)ના સફળ પ્રક્ષેપણ પર ચારે બાજુ ખુશીની લહેર છે. બીજી તરફ આ પ્રસંગે શ્રીહરિકોટામાં ઈસરો કંટ્રોલ રૂમ (control room)નો અલગ જ નજારો જોવા મળ્યો હતો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ આજે LVM3-M4 રોકેટનો ઉપયોગ...
દેશના ત્રીજા ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3' (Chandrayaan-3)ના સફળ પ્રક્ષેપણ પર ચારે બાજુ ખુશીની લહેર છે. બીજી તરફ આ પ્રસંગે શ્રીહરિકોટામાં ઈસરો કંટ્રોલ રૂમ (control room)નો અલગ જ નજારો જોવા મળ્યો હતો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ આજે LVM3-M4 રોકેટનો ઉપયોગ કરીને તેનું ત્રીજું ચંદ્ર મિશન - 'ચંદ્રયાન-3' સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. લોંચર મોડ્યુલ અને ચંદ્રયાન-3 અલગ થતાં જ સમગ્ર કંટ્રોલ રૂમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. ઈસરોના વૈજ્ઞાનિકો એકબીજાને અભિનંદન આપવા લાગ્યા હતા.
પ્રોજેક્ટ ડાયરેક્ટર ખુશ થઇ ગયા
'ચંદ્રયાન-3'ના સફળ પ્રક્ષેપણથી મિશનના પ્રોજેક્ટ ડિરેક્ટર પી. વીરમુથુવેલ (P. Veermuthuvel)અને ઈસરોના વડા એસ. સોમનાથ (S.Somnath) ભાવુક થઈ ગયા. જ્યારે પ્રોજેક્ટ ડાયરેક્ટર પી. વીરમુથુવેલે મિશન વિશે કહેવાનું શરૂ કર્યું ત્યારે તેઓ ખુશીના કારણે કંઈ બોલી શક્યા નહીં. તેમણે તેના સાથીદારોનો આભાર માનીને શરૂઆત કરી, પરંતુ તેઓ પોતાની વાત પૂર્ણ કરી શક્યા નહીં. આ પછી ત્યાં હાજર ઈસરોના વડાએ પ્રસંગની નાજુકતા જોઈને માઈક સંભાળ્યું. તેમણે કહ્યું કે હવે સમય ઓછો છે. મિશન સંબંધિત વિગતો પછીથી શેર કરશે. આ પછી બંને હસ્યા હતા.
#WATCH |ISRO chief S Somanath and the team behind #Chandrayaan3 share their delight after the LVM3 M4 vehicle successfully launched it into orbit.
"Chandrayaan-3, in its precise orbit, has begun its journey to the Moon. Health of the Spacecraft is normal," says ISRO. pic.twitter.com/cRlegcsgHI
— ANI (@ANI) July 14, 2023
Advertisement
શું ચંદ્રયાન-3 એ ચંદ્રયાન-2નું ફોલોઅપ મિશન છે?
અગાઉ ISROએ 2008માં 'ચંદ્રયાન-1' અને 2019માં 'ચંદ્રયાન-2' લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન-1 પાસે માત્ર ઓર્બિટર હતું. ચંદ્રયાન-2 પાસે ઓર્બિટર તેમજ લેન્ડર અને રોવર હતું. ચંદ્રયાન-3 પાસે ઓર્બિટર નથી, માત્ર લેન્ડર અને રોવર છે. આ વખતે પણ ઈસરોએ લેન્ડરનું નામ 'વિક્રમ' અને રોવરને 'પ્રજ્ઞાન' રાખ્યું છે. ચંદ્રયાન-2માં પણ લેન્ડર અને રોવરના નામ સમાન હતા. ચંદ્રયાન-3ને ચંદ્રયાન-2ના ફોલો-અપ મિશન તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. તેનો હેતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરવાનો પણ છે. 'ચંદ્રયાન-2' મિશન દરમિયાન અંતિમ ક્ષણોમાં, લેન્ડર 'વિક્રમ' પાથના વિચલનને કારણે 'સોફ્ટ લેન્ડિંગ' કરી શક્યું ન હતું. જો આ વખતે આ મિશન સફળ થશે તો ભારત અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેમણે આવી સફળતા હાંસલ કરી છે.