Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AAP નેતા Swati Maliwal ને Arvind Kejriwal ના કહેવાથી મારવામાં આવી : Manoj Tiwari

ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાંસદ મનોજ તિવારી (Manoj Tiwari)એ આરોપ લગાવ્યો છે કે સ્વાતિ માલીવાલ (Swati Maliwal)ને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના ઈશારે મારવામાં આવી હતી. તેણે કહ્યું, “જુઓ, કોની સાથે થાય છે તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. આ...
aap નેતા swati maliwal ને arvind kejriwal ના કહેવાથી મારવામાં આવી   manoj tiwari

ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાંસદ મનોજ તિવારી (Manoj Tiwari)એ આરોપ લગાવ્યો છે કે સ્વાતિ માલીવાલ (Swati Maliwal)ને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના ઈશારે મારવામાં આવી હતી. તેણે કહ્યું, “જુઓ, કોની સાથે થાય છે તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. આ ઘટના એક મહિલા સાથે બની હતી. આ દેશમાં ભાજપની સંસ્કૃતિ છે કે આપણે કોઈ પણ સ્તરે કોઈ બહેન કે દીકરી પર અત્યાચાર થતો જોઈ શકતા નથી.

Advertisement

કેજરીવાલના ઈશારે માર મરાયો...

મનોજ તિવારી (Manoj Tiwari)એ કહ્યું, “મને આશ્ચર્ય થાય છે કે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વ્યક્તિના સમર્થનમાં ઉભા છે જેણે મહિલાને મારમાર્યો છે. બીજી તરફ અમને લાગે છે કે આ મારપીટ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના નિર્દેશ પર થઈ છે. બિભવને બચાવવાનો આ પ્રયાસ છે. સ્વાતિને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના ઈશારે મારવામાં આવી છે, અન્યથા જો તમારી સાથે અથવા અમારી સાથે રહેતો કોઈ વ્યક્તિ આવી ઘટના કરશે તો અમે તેને તરત જ દૂર કરી દઈશું.

Advertisement

બિભવ હાલ દિલ્હી પોલીસની કસ્ટડીમાં...

આપણા દેશમાં એક કવિતા ખૂબ પ્રખ્યાત છે કે, વિનાશ કાળે, વિપરીત બુદ્ધિ... કદાચ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સાથે પણ આવું જ થયું હશે. હું હમણાં જ પદયાત્રાથી પરત ફર્યો છું અને બધી જ જગ્યાએ એક ચર્ચા જોવા મળે છે. અને બીજી બાજુ AAP પાર્ટીએ સ્વાતિના આરોપને નકારી રહી છે. પાર્ટીનું કહેવું છે કે, સ્વાતિ માલીવાલ (Swati Maliwal) માત્ર હંગામો મચાવવાના હેતુથી CM હાઉસમાં આવી હતી. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે (Swati Maliwal) તેમના પર હુમલાનો આરોપ લગાવ્યા બાદ CM અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના PA બિભવ કુમારની ધરપકડ કરવામાં આવી છે. બિભવ કુમાર હાલ દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે.

Advertisement

શું સ્વાતિ ખોટું બોલી રહી છે...!

પોલીસને આપવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપ છે કે સ્વાતિ માલીવાલ (Swati Maliwal) 13 મેના રોજ સવારે કેજરીવાલને તેમના ઘરે મળવા ગઈ ત્યારે બિભવ કુમારે તેની મારપીટ કરી. બિભવ કુમારે સ્વાતિ માલીવાલ (Swati Maliwal) વિરુદ્ધ દિલ્હી પોલીસને ફરિયાદ પણ કરી છે. તેણે દાવો કર્યો છે કે સ્વાતિ માલીવાલ (Swati Maliwal) ખોટું બોલી રહી છે.

આ પણ વાંચો : Lok Sabha Election 2024 : પાંચમાં તબક્કામાં 8 રાજ્યોની 49 લોકસભા બેઠકો પર 20 મેના રોજ મતદાન…

આ પણ વાંચો : Swati Maliwal Case : CM આવાસ પર પહોંચી દિલ્હી પોલીસ, CCTV DVR સહિત ઘણી વસ્તુઓ જપ્ત કરી

આ પણ વાંચો : UP : Prayagraj માં INDI ગઠબંધનની જાહેર સભામાં નાસભાગ, ઘણા લોકો ઘાયલ…

Tags :
Advertisement

.