Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘જરૂરી નથી કે ચૂંટણી સમયસર જ થાય કેન્દ્ર ગમે ત્યારે ચૂંટણી યોજી શકે છે’નીતિશ કુમારનું નિવેદન

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી એકવાર કહ્યું છે કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે. તેમણે કહ્યું કે એ જરૂરી નથી કે ચૂંટણી સમયસર થવી જોઈએ, કેન્દ્ર પહેલા પણ કરી શકે છે. અમે સાત-આઠ મહિનાથી એવું કહી રહ્યા છીએ કે...
‘જરૂરી નથી કે ચૂંટણી સમયસર જ થાય કેન્દ્ર ગમે ત્યારે ચૂંટણી યોજી શકે છે’નીતિશ કુમારનું નિવેદન

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી એકવાર કહ્યું છે કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે. તેમણે કહ્યું કે એ જરૂરી નથી કે ચૂંટણી સમયસર થવી જોઈએ, કેન્દ્ર પહેલા પણ કરી શકે છે. અમે સાત-આઠ મહિનાથી એવું કહી રહ્યા છીએ કે આ લોકો લોકસભાની ચૂંટણી વહેલા પણ કરાવી શકે છે. સીએમ નીતિશે મંગળવારે (29 ઓગસ્ટ) નાલંદામાં મીડિયા સાથે વાત કરતા આ નિવેદન આપ્યું છે.

Advertisement

બીજી તરફ, જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને કેન્દ્ર વતી સોમવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવા પર મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કહ્યું કે અમે જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરી હતી.. વસ્તી ગણતરી કરવાનું કામ કેન્દ્રનું છે. જાતિ આધારિત વસ્તી ગણતરીની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અમે આની સમાન માંગ કરી રહ્યા હતા. જ્યારે કેન્દ્રે તે ન કર્યું, તો અમે બિહારમાં તેની શરૂઆત કરાવી.

નીતિશ કુમારે કહ્યું કે જાતિ આધારિત વસ્તી ગણતરીની સાથે તેમની આર્થિક સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. દરેક જ્ઞાતિના વિકાસ માટે કામ કરવામાં આવશે. અમે રાજ્યના વિકાસ માટે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી છે

Advertisement

CMએ કહ્યું- 'અમારો ઉદ્દેશ્ય બધાને એક કરવાનો છે'

મુંબઈમાં 'INDIA' ગઠબંધનની બેઠક પર નીતિશ કુમારે કહ્યું કે મેં પહેલેથી જ કહ્યું છે કે મને કોઈ પદ જોઈતું નથી. હું ગઈકાલે જ બોલ્યો છું. મારી કોઈ અંગત ઈચ્છા નથી. અમારો ઉદ્દેશ્ય એ છે કે દરેકે એક થવું જોઈએ.

Advertisement

આ પણ વાંચો---ASIA CUP પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, આ ખેલાડી પાકિસ્તાન વિરુદ્ધ મેચ નહીં રમે

Tags :
Advertisement

.