MADRASA SURVEY : દરિયાપુરના મદરેસામાં આચાર્ય પર હુમલા મામલે વધુ 4 ની ધરપકડ
અમદાવાદના (AHMEADBAD) દરિયાપુર (DARIYAPUR) વિસ્તારમાં આવેલા મદરેસામાં સરવે (MADRASA SURVEY) કરવા ગયેલા આચાર્ય પર હુમલા મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આગળની તપાસ હાથ ધરી છે. દરિયાપુરમાં આવેલા મદરેસામાં સરવે કરવા ગયેલા પ્રિન્સિપાલ પર 25 થી 35 લોકોનાં ટોળાએ હુમલો કર્યો હતો.
પ્રિન્સિપાલ પર 25 થી 35 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો
રાજ્યમાં ચાલતા મદરેસાનો સરવે (madrasa Survey) કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો હોવાથી સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, અમદાવાદના (Ahmeadbad) દરિયાપુર વિસ્તારમાં આવેલા મદરેસામાં સરવે કરવા ગયેલા પ્રિન્સિપાલ પર 25 થી 35 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. આ ઘટના સામે આવતા સ્થાનિક પોલીસ (DARIYAPUR POLICE) અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વધુ 4 આરોપીની ધરપકડ
માહિતી મુજબ, આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) વધુ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછમાં તેમની ઓળખ પરવેઝ શેખ (Parvez Shaikh), સૂફિયાન પઠાણ, ફેઝાન શેખ (Faizan Shaikh) અને અયાન શેખ તરીકે થઈ છે. જણાવી દઈએ કે, આ કેસમાં અગાઉ 2 આરોપી ફરહાન અને ફૈઝલની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - madrasa Survey : આચાર્ય પર હુમલા મામલે 2 ની ધરપકડ, BJP નેતાએ કહ્યું- મદરેસામાં આવી ઘટના..!
આ પણ વાંચો - Raju Bapu controversy : રાજુગીરી બાપુની મુશ્કેલીઓમાં વધારો! પોલીસ ફરિયાદ નોંધાવી કરાઈ આ માગ
આ પણ વાંચો - GUJARAT ATS : 4 પૈકી 2 આતંકી અગાઉ અનેક વખત ભારત આવ્યા, ફેબ્રુ.થી ચાલી રહી છે આતંકી ટ્રેનિંગ