Junagadh: ગણેશ ગોંડલને 24 કલાકમાં ગમે ત્યાંથી હાજર કરો નહીં તો જોયા જેવી થશે, યુવકના પિતાની ચીમકી
Junagadh: ગણેશ ગોંડલની ધરપકડ કરવા માટે અનેક વિપક્ષી નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા ગણેશ જાડેજાએ એક કોંગ્રેસના નેતા સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. જેને લઈને અત્યારે દલિસ સમુદાયમાં ભારે રોષની લાગડીઓ જોવા મળી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે સંજય સોલંકીના પિતાએ પણ ગણેશ ગોંડલની ધરપકડ માટે માગણી કરી છે.
24 કલાકમાં ગણેશ ગોંડલ ધરપકડ થાય: યુવકના પિતા
સંજય સોલંકીના પિતાએ કહ્યું કે, અમારી માગ એટલી જ છે કે, 24 કલાકમાં તેની (ગણેશ ગોંડલ) ધરપકડ થાય. અને જો 24 કલાકમાં તેની ધરપકડ કરવામાં નહીં આવે તો અમે પરિવાર સાથે સામૂહિત આત્મવિલોપન કરીશું.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘રાત્રે ત્રણ વાગે તેને ગોંડલ લઈ ગયા, તેને માર માર્યો અને તેનો વીડિયો બનાવ્યો હતો. પછી તેને મારીને જૂનાગઢ ભેસાણ ચોકડી ઉતારી ગયા હતા. અત્યારે તે હોસ્પિટલમાં દાખલ છે અને તેનું પગમાં ફેક્ટર છે, તેનું પહોળું પણ ભાંગી ગયું છે.’
ગણેશ જાડેજાએ એક કોંગ્રેસના નેતાનું અપહરણ કરી...
થોડા સમય પહેલા કોંગ્રેસના નેતાનું અપહરણ કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ સામે આવ્યું છે. મળતી જાણાકારી પ્રમામે ગણેશ જાડેજાએ એક કોંગ્રેસના નેતાનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. નોંધનીય છે કે, સમગ્ર મામલે એટ્રોસિટી (Atrocities Act) હેઠળ જૂનાગઢ (Junagadh) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઇ છે. હાલ કોંગ્રેસ નેતા (Congress) સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું છે.
મને લાગી આવ્યું હતું કે, હું જુનાગઢ પાછો નહીં આવુંઃ સંજય સોલંકી
સંજય સોલંકીએ આ બાબતે એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેમણે કહ્યું કે, ‘મને લાગી આવ્યું હતું કે, હું જુનાગઢ પાછો નહીં આવું.’ વધુમાં કહ્યું કે, ‘આ લોકોએ મને બઉ માર માર્યો છે. લોંખડ અને લાકડીઓ વડે માર માર્યો હતો.’ સંજય સોલંકીએ કહ્યું કે, ‘અત્યારે આખા ગુજરાતનો દલિત સમાજ મારી સાથે છે.’