આણંદ: વિદ્યાનગરમાં અસામાજિક તત્વોનો આતંક
આણંદના વિદ્યાનગરમાં મધ્ય રાત્રીએ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા વિદ્યાનગરના મોટાબજાર વિસ્તારમાં આતંક મચાવવામાં આવ્યો હતો. જેમાં જાહેરમાં ગેંગ વોર જેવા દ્રશ્યો જોવા મળી આવ્યા હતા. મારક હથિયારો સાથે જાહેરમાં ગેંગ વોરના દ્રશ્યો જોવા મળ્યા હતા.
જાહેરમાં ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી
અસામાજિક તત્વો દ્વારા બેસતા વર્ષની રાતે પાઇપ, લાકડી, અને ચપ્પા જેવા હથિયારો સાથે આતંક મચાવવામાં આવ્યો હતો. જેમાં જાહેરમાં ગાડીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સો દ્વારા ખુલ્લેઆમ હુમલો કરવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી
આ ઘટના પરથી જોવા મળી આવે છે કે આણંદમાં હવે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી. આવી હુમલા અને મારામારીની ઘટના અગાઉ પણ સામે આવી ચૂકી છે. અહિં આમ શિક્ષણ નગરી વિદ્યાનગરમાં પોલીસના ખોફ વગર અસામાજિક તત્વો બેફામ જોવા મળી આવે છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર જાગતું થયું છે.
મારામારી કરનાર બંને પક્ષો સામે ગુનો દાખલ
વિદ્યાનગર પોલીસ દ્વારા મારામારી કરનાર બંને પક્ષો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપિકો કલમ 307 અંતર્ગત સરકાર તરફે પોલીસ ફરિયાદી બની છે. આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
આ પણ વાંચો - સાળંગપુરમાં દાદાને સોનાના વાઘાનો શણગાર, શતામૃત મહોત્સવની કરાશે ઉજવણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે