Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : નિકોલ PI સામે વધુ એક PSI એ લગાવ્યા ગંભીર આરોપ! ACP ને તપાસના આદેશ

અમદાવાદના (Ahmedabad) નિકોલ વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનના PSI દ્વારા PI સામે માનસિક ત્રાસ સહિતના ગંભીર આક્ષેપો સાથે એક પત્ર લખી સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો અને સાથે DGP અને ગૃહ વિભાગને પણ મોકલી આપ્યો હતો. આ પત્ર સામે આવતા...
ahmedabad   નિકોલ pi સામે વધુ એક psi એ લગાવ્યા ગંભીર આરોપ  acp ને તપાસના આદેશ

અમદાવાદના (Ahmedabad) નિકોલ વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનના PSI દ્વારા PI સામે માનસિક ત્રાસ સહિતના ગંભીર આક્ષેપો સાથે એક પત્ર લખી સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો અને સાથે DGP અને ગૃહ વિભાગને પણ મોકલી આપ્યો હતો. આ પત્ર સામે આવતા હવે આ મામલે તપાસના આદેશ કરાયા છે. માહિતી મુજબ, H ડિવિઝનના ACP દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે.

Advertisement

PSI ના પત્રથી ખળભળાટ

જણાવી દઈએ કે, નિકોલ પોલીસ સ્ટેશન (Nikol Police Station) ના PSI જ્યંતી શિયાળે (PSI Jayanti Shiyale) આપવીતી જણાવતો એક પત્ર સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો. આ પત્ર PSI જ્યંતી શિયાળે DGP અને ગૃહ વિભાગને પણ મોકલ્યો હતો. આ પત્રના માધ્યમથી PSI જ્યંતી શિયાળે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI કે. ડી. જાટ (PI K D Jat) વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને પત્ર થકી PI કે.ડી. જાટ પર માનસિક ત્રાસ આપતા હોવાનો, અપમાન કરતા હોવાનો અને એક મહિલા ASI સાથે અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા અને પીઆઈના ત્રાસથી આત્મહત્યા કરવા જતાં હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

H ડિવિઝનના ACP કરશે તપાસ

માહિતી મુજબ, પીએસઆઈનો પત્ર સામે આવતા હવે આ મામલે તપાસના આદેશ અપાયા છે. H ડિવિઝનના ACP આર. ડી. ઓઝા (ACP R.D. Oza) આ બાબતે તપાસ કરશે. અહેવાલ અનુસાર, PSI જયંતી શિયાળ દ્વારા લખેલા પત્રમાં PI ના ત્રાસથી 7 થી 8 પોલીસ કર્મચારીની બદલી થયાનો પણ ઉલ્લેખ હતો. સાથે જ લખ્યું હતું કે, PI ના ત્રાસ અંગે અગાઉ મૌખિક જાણ પણ કરી હતી. PI એક મહિલા ASI સાથે અભદ્ર વર્તન પણ કર્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. આ સાથે PSI જયંતી શિયાળે પત્રમાં એ પણ લખ્યું હતું કે, તેમના ત્રાસથી મારો પરિવાર પણ ડિસ્ટર્બ છે. પત્ની અને બાળકો હેરાન થતાં જીવન ટૂંકાવવાનો વિચાર આવે છે. આ બાબતે હાલ અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ બંને PSI સાથે સંપર્ક કરી રહ્યા છે. સૂત્રો મુજબ, શહેર પોલીસ કમિશનર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

Advertisement

વધુ એક PSI એ PI વિરુદ્ધ કરી હતી ફરિયાદ

PSI રાજેશ યાદવ (PSI Rajesh Yadav) હાલમાં અમદાવાદ (Ahmedabad) પોલીસના ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં હોવાની વાત સામે આવી છે. જણાવી દઈએ કે, PSI જયંતી શિયાળ સિવાય વધુ એક PSI રાજેશ યાદવે ગત મોડી સાંજે કંટ્રોલ રૂમમાં કરીને PI કે.ડી. જાટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને PI જાટના ત્રાસથી આત્મહત્યા કરવા જતાં હોવાનું જણાવ્યું હતું. પ્રાપ્ત અહેવાલ અનુસાર, PSI રાજેશ યાદવે કોલ કરી કહ્યું કે, પીઆઈ અવારનવાર ક્રિકેટ મેચના બંદોબસ્તમાં મૂકે છે અને ખોટી રીતે હેરાન કરે છે.

Advertisement

આ પણ વાંચો - Nikol Police Station: નિકોલ પોલીસ સ્ટેશનના PI ની તાનાશાહી! PSI એ PIના ત્રાસથી લખ્યો પત્ર

આ પણ વાંચો - Ex IAS : રાષ્ટ્રીય પાર્ટીને કરોડો રૂપિયાનું ફંડ આપનારા પૂર્વ અધિકારી આફતમાં

આ પણ વાંચો - CID RAID : આંગડીયા પેઢીમાં CID ક્રાઇમના દરોડા, 18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Tags :
Advertisement

.