ઉત્તરાખંડના ચમોલીમાં વીજ કરંટ લાગવાથી 15 લોકોના મોત, નમામી ગંગે પ્રોજેક્ટના સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફેલાયો હતો કરંટ |
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે એક મોટી દુર્ઘટના સર્જાઇ. અહીં વીજ કરંટ લાગવાથી બે ડઝનથી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. તમામને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે.
15 મૃતકોમાં છ પોલીસ જવાનો
સૂત્રોનું કહેવું છે કે આ દુર્ઘટનામાં 6 પોલીસ જવાનોએ પણ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 20થી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા છે. જ્યારે બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને શ્રીનગરના ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે. બીજી તરફ પ્રશાસને આ મામલે મૌન સેવ્યું છે. મંગળવારે મોડી રાત્રે સિવેજ પ્લાન્ટના ચોકીદારનું પણ વીજ કરંટથી મોત થયું હતું. મૃતકના અંગત પંચનામા કરવા માટે પોલીસ અને સ્થાનિક લોકો સિવેજ પ્લાન્ટ પાસે પહોંચ્યા હતા, ત્યારે અચાનક પ્લાન્ટમાં ફરી કરંટ લાગ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો.
મુખ્યમંત્રીએ ન્યાયિક તપાસના આદેશ આપ્યા
ચમોલી ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. સીએમએ કહ્યું, 'આ એક દુઃખદ ઘટના છે. જિલ્લા પ્રશાસન, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને હાયર સેન્ટરમાં રીફર કરવામાં આવી રહ્યા છે. તેમને હેલિકોપ્ટર દ્વારા ઋષિકેશ ખાતે આવેલી એઇમ્સમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.. આ ઉપરાંત મેજિસ્ટ્રેટ તપાસ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
चमोली में करंट लगने से कई लोगों के हताहत होने का अत्यंत पीड़ादायक समाचार प्राप्त हुआ। दुर्घटना में घायल हुए लोगों को उपचार हेतु नजदीकी अस्पताल भेज दिया गया है।
इस दुर्भाग्यपूर्ण घटना की मजिस्ट्रियल जांच के आदेश दे दिए हैं।
ईश्वर से दिवंगत आत्माओं की शांति एवं घायलों के शीघ्र…
— Pushkar Singh Dhami (@pushkardhami) July 19, 2023
રેલિંગમાં કરંટ લાગ્યો અને લોકો દાઝી ગયા
ઉત્તરાખંડના અધિક પોલીસ મહાનિર્દેશક વી મુરુગેસનનું કહેવું છે કે એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને પાંચ હોમગાર્ડ સહિત લગભગ 15 લોકોના મોત થયા છે. આ મામલે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે રેલિંગ પર વીજ કરંટ લાગવાને કારણે ત્યાં હાજર લોકોને વીજ કરંટ લાગ્યા હતા.
जनपद चमोली में करंट लगने से 15 लोगों की मृत्यु होने की दुखद घटना हुई है, जिसमें उत्तराखण्ड पुलिस के एक सब-इंस्पेक्टर और 3 होमगार्ड भी हादसे का शिकार हुए हैं। घटना के संबंध में श्री वी गुरूगेशन, ADG Law & Order Sir की बाइट।#UttarakhandPolice @ANINewsUP @PIB_India @PTI_News pic.twitter.com/odQ5t2LpDh
— उत्तराखण्ड पुलिस - Uttarakhand Police (@uttarakhandcops) July 19, 2023
ઉર્જા કોર્પોરેશન સામે બેદરકારીના આક્ષેપ
સાથે જ આ અકસ્માતને લઈને નારાજ લોકો ઉર્જા નિગમ પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ કોર્પોરેશન સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. અકસ્માતની જાણ થતાં જ અહીં પ્રોજેક્ટનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ બચાવ અને રાહત માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.