Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘરમાં આ જગ્યાએ લગાવો મની પ્લાન્ટ અને થઈ જાવ માલામાલ

આજે મોટાભાગના ઘરમાં લોકો મની પ્લાન્ટ લગાવતા હોય છે. આ પ્લાન્ટ મૂકવાથી ઘરમાં રૂપિયા આવે છે તેવી માન્યતા છે. જોકે મની પ્લાન્ટ દેખાવમાં બહુ જ સુંદર હોય છે. ઘણા લોકો વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરમાં મની પ્લાન્ટ લગાવતા  હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘરમાં મની પ્લાન્ટને લગાવવાને લઈને કેટલાક નિયમો પણ બતાવવામાં આવ્યા છે. આવો જાણીએ તેના નિયમ વિશે.સામાન્ય àª
ઘરમાં આ જગ્યાએ લગાવો મની પ્લાન્ટ અને થઈ જાવ માલામાલ
આજે મોટાભાગના ઘરમાં લોકો મની પ્લાન્ટ લગાવતા હોય છે. આ પ્લાન્ટ મૂકવાથી ઘરમાં રૂપિયા આવે છે તેવી માન્યતા છે. જોકે મની પ્લાન્ટ દેખાવમાં બહુ જ સુંદર હોય છે. ઘણા લોકો વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરમાં મની પ્લાન્ટ લગાવતા  હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘરમાં મની પ્લાન્ટને લગાવવાને લઈને કેટલાક નિયમો પણ બતાવવામાં આવ્યા છે. આવો જાણીએ તેના નિયમ વિશે.
સામાન્ય રીતે મની પ્લાન્ટ ઘરની અંદર જ રાખવામાં આવે છે. વાસ્તુ અનુસાર મની પ્લાન્ટને ઘરની અગ્નિ દિશામાં લગાવવુ બહુ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. 
દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવું બહુ જ શુભ માનવામાં આવે છે. આ દિશા ભગવાન ગણેશની દિશા કહેવાય છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ભાગ્ય સુધરી જાય છે. 
મની પ્લાન્ટને પાણી આપતા સમયે તેમાં દૂધના કેટલાક ટીપા જરૂર મિક્સ કરો. આવુ કરવાથી ઘનમાં વધારો થયો છે તેવી  માન્યતા  હોય છે.
મની પ્લાન્ટને તમે કોઈ દોરીના સહારાથી બાંધો. આવુ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. 
Advertisement
Tags :
Advertisement

.