દંપતીનો સજોડે ગળે ફાંસો ખાઈ આપઘાત
રાજકોટ શહેરમાં અરેરાટી મચાવતી એક ઘટના સામે આવી છે. જેમાં મોરબી રોડ જય જવાન જય કિસાન સોસાયટી મફતિયાપરામાં રહેતા અને 5 મહિના પૂર્વે લગ્ન કરનાર નવયુગલે સજોડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ગૃહકલેશના કારણે દંપતીએ આ પગલું ભર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને દંપતીની લાà
07:56 AM Jul 15, 2022 IST
|
Vipul Pandya
રાજકોટ શહેરમાં અરેરાટી મચાવતી એક ઘટના સામે આવી છે. જેમાં મોરબી રોડ જય જવાન જય કિસાન સોસાયટી મફતિયાપરામાં રહેતા અને 5 મહિના પૂર્વે લગ્ન કરનાર નવયુગલે સજોડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે ગૃહકલેશના કારણે દંપતીએ આ પગલું ભર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને દંપતીની લાશને પીએમ માટે ખસેડી અપઘાતનું સાચું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબી રોડ જયજવાન જયકિસાન સોસાયટી મફતિયાપરામાં રહેતા 21 વર્ષીય બાબુભાઈ વિનુભાઈ સોલંકી તેમજ તેમની 20 વર્ષીય પત્ની મમતાબેને આજે વહેલી સવારે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારમાં આક્રંદ છવાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક બાબુભાઇ વિનુભાઈ સોલંકી નામનો આ યુવાન વિડીયો શૂટિંગનું કામ કરતો હતો. તેઓના લગ્ન 5 મહિના પૂર્વે તેના મમતાબેન સાથે થયા હતા. આજે વહેલી સવારે 7 વાગ્યે બંનેએ સજોડે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ અંગેનું કોઈપણ સ્પષ્ટ કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ ઘરકંકાસ અથવા આર્થિક સંકડામણને કારણે બંનેએ આપઘાત કર્યો હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.
Next Article