નરેન્દ્રએ નામ બદલીને ડૉ.એન.જોન કેમ રાખ્યું ??? જાણો 7 દર્દીઓના જીવ લેનાર ઠગની કહાની
- નકલી હાર્ટ સર્જન બની હોસ્પિટલમાં નોકરી મેળવી
- નકલી ડૉક્ટરની સારવારથી 7 દર્દીઓએ જીવ ગુમાવ્યા
- રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે તપાસ ટીમની રચના કરી
દમોહમાં એક ખ્રિસ્તી મિશનરી હોસ્પિટલ છે. અહીં એક નકલી ડૉક્ટરની સારવારથી 7 દર્દીઓએ કથિત રીતે જીવ ગુમાવ્યા. આરોપી પોતાને લંડનથી શિક્ષિત ડોક્ટર ગણાવતો હતો. તપાસ દરમિયાન, તેના બધા દસ્તાવેજો નકલી હોવાનું જાણવા મળ્યું. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે.
અરે, આ ડૉક્ટર સાહેબ લંડનથી છે. ત્યાં જ અભ્યાસ કર્યો છે. સારા હાર્ટ સર્જન છે. લોકો આ જાળમાં ફસાઈને ડૉ.એન.જોન કેમ પાસે સારવાર કરાવવા આવતા. પરંતુ જ્યારે સર્જરી દરમિયાન હૃદયરોગના દર્દીઓ મૃત્યુ પામવા લાગ્યા, ત્યારે આ ડૉક્ટર શંકાના દાયરામાં આવી ગયો. પછી તપાસ હાથ ધરવામાં આવી અને જે સત્ય બહાર આવ્યું તેનાથી બધા ચોંકી ગયા. ડૉ.એન.જોન કેમ ન તો ડૉક્ટર છે અને ન તો તેણે વિદેશમાં અભ્યાસ કર્યો છે. આ તેનું સાચું નામ પણ નથી. તે એક ઠગ છે અને તેના ખૂની કૃત્યોના પરિણામે 7 દર્દીઓના મોત થયા હતા. આ સમગ્ર મામલો મધ્યપ્રદેશના દમોહની ક્રિશ્ચિયન મિશનરી હોસ્પિટલ સાથે સંબંધિત છે.
દમોહમાં આવેલી ક્રિશ્ચિયન મિશનરી હોસ્પિટલ શહેરમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં ડૉ.એન.જોન કેમ હાર્ટ સર્જન તરીકે કામ કરતો હતો. પરંતુ હવે 7 હૃદયરોગના દર્દીઓના મૃત્યુ બાદ તેનું સાચું સત્ય બહાર આવ્યું છે. અધિકારીઓના મતે, તે ડૉક્ટર નથી. તેનું નામ ડૉ.એન.જોન કેમ પણ નથી છે. તે એક ચાલાક ઠગ છે અને તેનુ અસલી નામ નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ છે.
લંડનના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ હોવાનો દાવો
નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવે લંડનના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ તરીકે પોતાનો પરિચય આપીને દમોહ હોસ્પિટલમાં નોકરી મેળવી. આ સમય દરમિયાન, તેણે દર્દીઓની સારવાર કરીને ઘણા લોકોના જીવ દાવ પર લગાવ્યા. હવે આ મામલો ફક્ત જિલ્લા વહીવટીતંત્ર જ નહીં પરંતુ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સુધી પણ પહોંચી ગયો છે. આરોપીએ પ્રખ્યાત બ્રિટિશ કાર્ડિયોલોજિસ્ટ પ્રોફેસર એન.જોન.કેમના નામે નકલી દસ્તાવેજોની મદદથી હોસ્પિટલમાં નોકરી મેળવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિ ખરેખર નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ છે, જે ડૉક્ટર પણ નથી.
પહેલાથી જ નોંધાયેલા ફોજદારી કેસ
આ પહેલી વાર નથી જ્યારે નરેન્દ્ર યાદવ વિવાદમાં આવ્યો હોય. અગાઉ પણ હૈદરાબાદમાં તેની સામે ફોજદારી કેસ નોંધાયેલો છે. દેશના ઘણા શહેરોમાં થયેલા છેતરપિંડીના કેસોમાં તે જોડાયેલો છે. વર્ષ 2023 માં, આ જ નામના વેરિફાઇડ ટ્વિટર આઈડી પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું હતું, જેમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રશંસા કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ફ્રાન્સમાં રમખાણો રોકવા માટે યોગીને મોકલવા જોઈએ. આ ટ્વીટ પછી, સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો, અને પછીથી ખબર પડી કે આ એકાઉન્ટ પણ નરેન્દ્ર યાદવનું જ હતું.
જ્યારે દમોહમાં આ વ્યક્તિની તપાસ શરૂ થઈ, ત્યારે તે ફરાર થઈ ગયો. ફરિયાદીના જણાવ્યા મુજબ, એક પીડિત જ્યારે તેના દાદાની સારવાર માટે આ હોસ્પિટલમાં આવ્યો ત્યારે ડૉક્ટર પર શંકા ગઈ. પછી તેની વાસ્તવિકતા બહાર આવી.
આ પણ વાંચોઃ Former ISRO Officer : મહારાષ્ટ્રના શિરડીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
આરોપીઓ સામે તપાસ ટીમની રચના
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને ત્રણ સભ્યોની તપાસ ટીમની રચના કરી છે, જે 7 થી 9 એપ્રિલ દરમિયાન દમોહમાં કેમ્પ કરશે. કમિશનના સભ્ય પ્રિયાંક કાનુન્ગોએ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી. ત્યારે હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. વિપક્ષી નેતા ઉમંગ સિંગારે સરકાર અને વહીવટીતંત્ર પર સવાલ ઉઠાવતા ટ્વીટ કર્યું અને લખ્યું કે રક્ષક જ બન્યા ભક્ષક, સરકાર બની મૂક પ્રેક્ષક. તેમણે આ ઘટનાને નરસંહાર ગણાવી અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી.
દામોહનો આ કિસ્સો ફક્ત સાત મૃત્યુનો નથી, તે સિસ્ટમની મોટી નિષ્ફળતાનો આઈનો છે. હવે જોવાનું એ રહે છે કે શું સરકાર અને વહીવટીતંત્ર આ મામલાને ફક્ત તપાસ બાદ છોડી દેશે કે પછી કડક કાર્યવાહી પણ થશે?
આ પણ વાંચોઃ રામ નવમી પર PM મોદીની ભેટ! રામેશ્વરમમાં પંબન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, ટ્રેનને પણ લીલી ઝંડી આપી