Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કર્ણાટકમાં મુખ્યમંત્રીપદનો દાવો છોડવા ન માંગતા શિવકુમારને કોણે મનાવ્યા ?

કર્ણાટક ચૂંટણીના પરિણામો શનિવારે આવ્યા હતા અને ત્યારથી બુધવારે સાંજ સુધી કોંગ્રેસમાં આગામી મુખ્યપ્રધાન કોણ હશે તે અંગે મડાગાંઠ ચાલી રહી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન પણ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી પદ પર પોતાનો દાવો...
12:33 PM May 18, 2023 IST | Vishal Dave

કર્ણાટક ચૂંટણીના પરિણામો શનિવારે આવ્યા હતા અને ત્યારથી બુધવારે સાંજ સુધી કોંગ્રેસમાં આગામી મુખ્યપ્રધાન કોણ હશે તે અંગે મડાગાંઠ ચાલી રહી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન પણ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી પદ પર પોતાનો દાવો છોડવા તૈયાર ન હતા. જેના કારણે મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાના નામની જાહેરાત અટકી પડી હતી. મડાગાંઠનો કોઈ ભંગ થતો ન જોઈને, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આખરે દખલ કરી અને શિવકુમાર સાથે વાત કરી. પાર્ટીના સૂત્રો કહે છે કે જ્યારે સોનિયા ગાંધીએ ગઈકાલે રાત્રે શિવકુમાર સાથે વાત કરી ત્યારે તેમણે હથિયાર હેઠાં મૂક્યા અને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર સ્વીકારી લીધી. આજે સાંજે 7 વાગ્યે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં ઔપચારિક જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

ડીકે શિવકુમારે પણ ગુરુવારે એક નિવેદન જારી કરીને નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારવા સંમતિ દર્શાવી હતી. તેમણે કહ્યું કે, "કોંગ્રેસ કર્ણાટકના લોકો પ્રત્યે પ્રતિબદ્ધતા ધરાવે છે. લોકસભાની ચૂંટણી નજીક છે, તેથી મેં પાર્ટીના હિતમાં કોંગ્રેસ અધ્યક્ષ અને ગાંધી પરિવાર સમક્ષ ઝુકવાનું નક્કી કર્યું છે. ક્યારેક બરફ પીગળવો જરૂરી છે." જવાબદેહી છે અને જે વચન આપવામાં આવ્યું છે તે પૂર્ણ કરવું પડશે.

ખુરશીની રેસમાં સિદ્ધારમૈયા ડીકે શિવકુમારને કેમ પછાડ્યા?

વાસ્તવમાં, કર્ણાટક અંગે નિર્ણયો લેવા માટે જવાબદાર એવા હાઈકમાન્ડના કોઈ પણ નેતાએ ડીકે શિવકુમારના મુખ્યમંત્રી પદના દાવાને ખુલ્લેઆમ સમર્થન આપ્યું ન હતું. મોટાભાગના ધારાસભ્યોની સાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલ સિદ્ધારમૈયાને સમર્થન આપી રહ્યા હતા. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના કર્ણાટક મામલાના પ્રભારી જનરલ સેક્રેટરી રણદીપ સુરજેવાલાએ પક્ષ લીધો ન હતો. શિવકુમારના ચોક્કસપણે સોનિયા ગાંધી સાથે સારા સંબંધો છે, પરંતુ તેમણે આ બાબતમાં વધુ દખલગીરી ન કરી અને અંતે તેમણે મડાગાંઠને ખતમ કરવાની પહેલ કરી. શનિવારે ચૂંટણી પરિણામો આવતાં જ રાજકીય વર્તુળોમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે સિદ્ધારમૈયા બીજી વખત કર્ણાટકના સીએમ બનશે, પરંતુ શિવકુમાર તેમના દાવાથી પીછેહઠ કરવા તૈયાર ન હતા.. સોમવારે જ તેમને નાયબ મુખ્ય પ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે સ્વીકાર્યું ન હતું અને એટલું કહી દીધું કે તેઓ માત્ર ધારાસભ્ય તરીકે જ સંતુષ્ટ રહેશે અને સિદ્ધારમૈયાની સરકારમાં જોડાશે નહીં. આ પછી સોનિયા ગાંધીએ સમગ્ર મામલામાં હસ્તક્ષેપ કરવો પડ્યો અને પછી તેઓ સરકારમાં નંબર ટુ બનવા માટે રાજી થઈ ગયા.

Tags :
Chief Ministerchief ministershipclaimconvinceddeputy chief ministerKarnatakaShivakumar
Next Article