ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Congress vs BJP: મોહન ભાગવતના કયા નિવેદન પર ભડક્યા મલ્લિકાર્જુન ખડગે ??? વાંચો વિગતવાર

મોહન ભાગવતે (Mohan Bhagwat) સામાજિક એકતા પર ભાર મૂક્યો છે અને 'એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન...નું નિવેદન આપ્યું છે. આ નિવેદન બાદ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge) એ Mohan Bhagwat અને આરએસએસ પર આકરા વાકપ્રહાર કર્યા છે.
06:24 PM Apr 20, 2025 IST | Hardik Prajapati
મોહન ભાગવતે (Mohan Bhagwat) સામાજિક એકતા પર ભાર મૂક્યો છે અને 'એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન...નું નિવેદન આપ્યું છે. આ નિવેદન બાદ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge) એ Mohan Bhagwat અને આરએસએસ પર આકરા વાકપ્રહાર કર્યા છે.
featuredImage featuredImage
Mohan Bhagwat, statement Gujarat First,

Congress vs BJP: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા Mohan Bhagwat અલીગઢની પાંચ દિવસની મુલાકાત દરમિયાન સ્વયંસેવકોને સંબોધિત કર્યા છે. તેમણે કહ્યું કે શાંતિને પ્રોત્સાહન આપવામાં ભારતની વૈશ્વિક ભૂમિકાને સાકાર કરવા માટે સાચી સામાજિક એકતા જરૂરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે સામાજિક એકતા પર ભાર મૂક્યો છે. તેમણે બધા માટે 'એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન' અપનાવવાનું આહ્વાન કર્યુ છે. મોહન ભાગવતના આ નિવેદન બાદ કોંગ્રેસે RSS પર સમાજને વિભાજીત કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે વકફ સુધારા કાયદાને ભાજપ અને આરએસએસનું વિભાજનકારી કાવતરું ગણાવ્યું છે.

ભાગવતે સામાજિક એકતા પર ભાર મૂક્યો

Mohan Bhagwat એ હિન્દુ સમાજના પાયા તરીકે ધાર્મિક વિધિઓ અને મૂલ્યોના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે સ્વયંસેવકોને પરંપરા, સાંસ્કૃતિક વારસો અને નૈતિક અખંડિતતા પર આધારિત સમુદાયનું નિર્માણ કરવા હાકલ કરી. તેમણે રાષ્ટ્રીય ગૌરવને મજબૂત કરવા અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને તહેવારો ઉજવવા વિશે વાત કરી. ભાગવતે સ્વયંસેવકોને સમાજના તમામ વર્ગો સાથે સક્રિય રીતે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા.

આ પણ વાંચોઃ  UP: પતિ અને 3 બાળકો છોડીને ભાણીયા સાથે ભાગી ગઈ મામી....હવે વાદળી ડ્રમમાં પેક કરવાની આપી રહી છે ધમકી

મલ્લિકાર્જુનના આકરા વાકપ્રહાર

બિહારમાં એક રેલીને સંબોધિત કરતી વખતે Mallikarjun Kharge એ ભાજપ-આરએસએસ પર ગરીબો, મહિલાઓ અને નબળા વર્ગોની વિરુદ્ધ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ અને આરએસએસ ગરીબો, મહિલાઓ અને સમાજના નબળા વર્ગોના વિરોધીઓ છે. તેઓ સમાજના ભલા માટે વિચારી શકતા નથી, તેઓ જાતિ અને ધર્મના આધારે સમાજને વિભાજીત કરવામાં માને છે. કોંગ્રેસ નેતા Mallikarjun Kharge એ વક્ફ સુધારા બિલને ભાજપ અને આરએસએસનું કાવતરું ગણાવ્યું. તેમણે કહ્યું કે, આ સમુદાયો વચ્ચે વિભાજન બનાવવાનો પ્રયાસ છે. સંસદ દ્વારા પસાર કરાયેલ વક્ફ સુધારા બિલ એ ભાજપ અને સંઘનું સમુદાયોમાં ભાગલા પાડવાનું કાવતરું છે.

આ પણ વાંચોઃ  J&K માં વાદળ ફાટ્યું, 3 લોકોના મોત; રામબનમાં ભૂસ્ખલન બાદ અનેક વાહનોને નુકસાન થયું

Tags :
Congress vs RSSGujarat FirstGUJARAT FIRST NEWSMallikarjun khargeMohan BhagwatRSSSocial Unitystatement One temple one well one crematoriumWaqf Amendment Bill