UP સરકારનો આવક વધારવાનો પ્રયાસ, દારૂની દુકાનોના સમયમાં વધારો
- યોગી સરકારનો મોટો નિર્ણય
- રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે દારૂ દુકાનો
- દારૂના વેચાણથી સરકારને મોટો ફાયદો
ઉત્તર પ્રદેશ (UP) સરકારે ક્રિસમસના અવસર પર દારૂની દુકાનો રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. સામાન્ય દિવસોમાં દારૂની દુકાનો રાત્રે 10 વાગ્યા સુધી બંધ થઈ જાય છે. યોગી સરકારે આવક વધારવા માટે આ નિર્ણય લીધો છે. સરકારના આદેશ અનુસાર 24 ડિસેમ્બર, 25 ડિસેમ્બર અને 31 ડિસેમ્બરે રાત્રે 11 વાગ્યા સુધી દારૂની દુકાનો ખુલ્લી રહેશે. જોકે, દુકાન ખોલવાનો સમય પહેલા જેવો જ સવારે 10 વાગ્યાનો રહેશે.
યુપી સરકારના આદેશ તમામ પ્રકારની દારૂની દુકાનો માટે છે. આવી સ્થિતિમાં વિદેશી દારૂ, બિયર અને દેશી દારૂની દુકાનો સવારે 10 થી 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
IAS डॉक्टर आदर्श सिंह कमिश्नर आबकारी विभाग उत्तर प्रदेश का नया आदेश. 24, 25 और 31 दिसम्बर 2024 को रात 10 बजे के बजाय 11 बजे रात्रि तक दुकाने खुलेंगी. pic.twitter.com/tkwxKMGvmF
— 𝕽𝖆𝖏𝖊𝖘𝖍 𝕯𝖊𝖜𝖊𝖉𝖎 𝕿𝖉𝖎𝖙𝖔𝖗 🇮🇳 (@Inb21N) December 15, 2024
આ પણ વાંચો : Maharashtra ના મંત્રીમંડળમાં ફેરફાર!, Shiv Sena અને NCP માટે મોટા મંત્રાલયની અટકળ
દારૂના વેચાણથી સરકારને મોટો ફાયદો...
આબકારી અને પ્રતિબંધના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) નીતિન અગ્રવાલના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ (UP) સરકારે નાણાકીય વર્ષ 2023 24 માં દારૂના વેચાણથી લગભગ 47 હજાર 600 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. ગયા નાણાકીય વર્ષમાં તે 41 હજાર 250 કરોડ રૂપિયા હતી. માર્ચ 2024 માં આ માહિતી આપતાં મંત્રી નીતિન અગ્રવાલે કહ્યું હતું કે, હાલમાં ઉત્તર પ્રદેશ (UP)માં દિલ્હી કરતાં વધુ દારૂની બ્રાન્ડ ઉપલબ્ધ છે. રાજ્યમાં દુકાનો પર ઓવર રેટિંગના મામલામાં કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ વર્ષે અમે આવકમાં લગભગ 4500 કરોડ રૂપિયાનો વધારો નોંધાવ્યો છે. આ વખતે અમારી આવક લગભગ 47600 કરોડ રૂપિયા છે, જે ગયા નાણાકીય વર્ષમાં 41250 કરોડ રૂપિયા હતી.
આ પણ વાંચો : સંભલ નરસંહાર પર CM યોગીનું નિવેદન, "ગુનેગારોને સજા કેમ નથી મળી?"
નોઈડાના લોકોએ નવા વર્ષમાં 3 લાખ લીટર દારૂ પીધો...
વર્ષ 2024 ની શરૂઆતમાં નોઈડાના લોકોએ ખુલ્લેઆમ નવા વર્ષની ઉજવણી કરી હતી અને ત્રણ લાખ લીટર દારૂ પીધો હતો. તેની કિંમત અંદાજે 13 કરોડ રૂપિયા હતી. તે જ સમયે, આબકારી વિભાગે અનુમાન લગાવ્યું હતું કે નવા વર્ષના પ્રથમ સાત દિવસમાં દારૂની આવક એકલા નોઈડામાં 20 કરોડ રૂપિયાથી વધુ થશે. આ બાબતોને ધ્યાનમાં રાખીને યુપી સરકારે મોડી રાત સુધી દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય લીધો છે, જેથી રાજ્ય સરકારની આવકમાં વધારો કરી શકાય.
આ પણ વાંચો : પુત્રવધૂ નિકિતા સહિત 3 લોકોની ધરપકડ, Atul Subhash ના પિતાનું દાર્દભર્યું નિવેદન