Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Air india ની ફ્લાઇટમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહને થયો કડવો અનુભવ!

Air india ફ્લાઇટમાં શિવરાજ સિંહને થયો કડવો અનુભવ Air india મુસાફરો સાથે છેતરપિંડી કરી રહી છે. ફ્લાઇટમાં તૂટેલી સીટશિવરાજ સિંહ થયા ગુસ્સે   Shivraj Singh Chouhan: કેન્દ્રીય કૃષિ મંત્રી અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ(Shivraj Singh Chouhan)ને એર...
air india ની ફ્લાઇટમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહને થયો કડવો અનુભવ
Advertisement
  • Air india ફ્લાઇટમાં શિવરાજ સિંહને થયો કડવો અનુભવ
  • Air india મુસાફરો સાથે છેતરપિંડી કરી રહી છે.
  • ફ્લાઇટમાં તૂટેલી સીટશિવરાજ સિંહ થયા ગુસ્સે

Shivraj Singh Chouhan: કેન્દ્રીય કૃષિ મંત્રી અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ(Shivraj Singh Chouhan)ને એર ઈન્ડિયાની (Air india)ફ્લાઇટમાં તૂટેલી સીટ (Seat)પર મુસાફરી કરવી પડી. તેમણે આ માટે એર ઈન્ડિયા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મને આશા હતી કે ભારત સરકાર પાસેથી ટાટા મેનેજમેન્ટને એર ઇન્ડિયાની કમાન સોંપાયા પછી પરિસ્થિતિમાં સુધારો થશે, પરંતુ તે ભ્રમ સાબિત થયો. તેમણે કહ્યું કે એરલાઇન્સ મુસાફરો સાથે છેતરપિંડી કરી રહી છે.

Advertisement

શિવરાજ સિંહ ચૌહાણે X પર શું કહ્યું

શિવરાજ સિંહ ચૌહાણે X પર એક લાંબી પોસ્ટ લખી છે અને આ સમગ્ર ઘટના વિશે માહિતી આપી છે. તેમણે લખ્યું, આજે મારે ભોપાલથી દિલ્હી આવવાનું હતું, પુસામાં કિસાન મેળાનું ઉદ્ઘાટન કરવાનું હતું, કુરુક્ષેત્રમાં કુદરતી ખેતી મિશનની બેઠક યોજવાની હતી અને ચંદીગઢમાં ખેડૂત સંગઠનના માનનીય પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવાની હતી. મેં એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI436 પર ટિકિટ બુક કરાવી હતી અને મને સીટ નંબર 8C ફાળવવામાં આવી હતી. હું જઈને સીટ પર બેઠો, સીટ તૂટેલી હતી અને અંદર દટાયેલી હતી. બેસું તો દુખતું હતું.

Advertisement

આ પણ  વાંચો -Shashi Tharoor: નારાજ શશિ થરૂરે કહ્યું-પાર્ટીમાં મારી ભૂમિકા સ્પષ્ટ કરો

શિવરાજ સિંહ ચૌહાણ આગળ કહે છે, "જ્યારે મેં એરલાઇન સ્ટાફને પૂછ્યું કે જો સીટ ખરાબ હતી તો તેમને કેમ ફાળવવામાં આવી? તેમણે કહ્યું કે મેનેજમેન્ટને અગાઉ જાણ કરવામાં આવી હતી કે આ સીટ સારી નથી અને તેની ટિકિટ વેચવી ન જોઈએ. આવી એક જ સીટ નથી પણ બીજી ઘણી સીટ છે.

આ પણ  વાંચો -Nashik Accident:નાસિકમાં સર્જાયો ભયાનક અકસ્માત, 21 ઇજાગ્રસ્ત, એક મહિલાનું મોત

મુસાફરોએ શિવરાજને પોતાની સીટ ઓફર કરી

શિવરાજે કહ્યું, "મારા સાથી મુસાફરોએ મને મારી સીટ બદલવા અને સારી સીટ પર બેસવા માટે આગ્રહ કર્યો, પણ હું મારા માટે બીજા મિત્રને કેમ તકલીફ આપું, મેં નક્કી કર્યું કે હું આ સીટ પર બેસીને મારી મુસાફરી પૂર્ણ કરીશ.

આ પણ  વાંચો -Prayagraj Kumbh Mela:મહાશિવરાત્રીના દિવસે અંતિમ સ્નાનની તૈયારી!

ભ્રમ તૂટ્યો

તેમણે કહ્યું, "મારો ખ્યાલ હતો કે ટાટા મેનેજમેન્ટ દ્વારા એર ઇન્ડિયાનો કબજો લેવામાં આવ્યા પછી તેની સેવામાં સુધારો થયો હોત, પરંતુ તે મારી ખોટી માન્યતા સાબિત થઈ. મને બેસવામાં થતી અગવડતાની પરવા નથી પણ મુસાફરો પાસેથી પૂરેપૂરી રકમ વસૂલ્યા પછી ખરાબ અને અસ્વસ્થતાવાળી સીટ પર બેસાડવી એ અનૈતિક છે. શું આ મુસાફરો સાથે છેતરપિંડી નથી? શું એર ઇન્ડિયા મેનેજમેન્ટ ભવિષ્યમાં કોઈ પણ મુસાફરને આવી અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે પગલાં લેશે કે પછી મુસાફરોની તેમના ગંતવ્ય સ્થાને વહેલા પહોંચવાની મજબૂરીનો લાભ લેવાનું ચાલુ રાખશે?

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના લોસ એન્જલસમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ, જાણો શું થયું કે ટ્રમ્પે ઉતારી દીધા નેશનલ ગાર્ડ્સ

featured-img
Top News

VADODARA : મજુરીમાં મુક્ત કરાયેલુ ગરીબ પરિવારનું બાળક ફ્લાઇટમાં વતન પહોંચ્યું

featured-img
રાષ્ટ્રીય

Indore Missing Couple case News : રાજા રઘુવંશી હત્યાકેસમાં ખુલ્યો નવો 'રાજ', રાજ કુશવાહા સાથે હતું સોનમ રઘુવંશીનું અફેર

featured-img
રાષ્ટ્રીય

સોનમ સાથે ધરપકડ કરાયેલા મધ્યપ્રદેશના તે 3 છોકરાઓ કોણ છે? જાણો રજા રઘુવંશીની હત્યાનો આખો મામલો શું છે

featured-img
Top News

VADODARA : NRI પુત્રની વાટ જોયા વગર પિતાની અંતિમ ક્રિયા કરાતા નારાજગી

featured-img
Top News

Gujarat : રાજ્યની 54 હજાર શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ

×

Live Tv

Trending News

.

×