UP : મેરઠમાં હ્રદયદ્રાવક ઘટના, એક જ પરિવારના 5 મૃતદેહ મળી આવ્યા
- UP ના મેરઠમાં ઘરમાંથી મળ્યા મૃતદેહ
- એક જ પરિવારના 5 લોકોની લાશ મળી
- પલંગની અંદરથી 3 બાળકોના મૃતદેહ મળ્યા
ઉત્તર પ્રદેશ (UP)ના મેરઠમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ તેમના ઘરની અંદરથી મળી આવ્યા હતા. મૃતદેહો બેડ બોક્સની અંદર કપડા વચ્ચે સંતાડવામાં આવ્યા હતા. આ ઘટના લિસાડી ગેટ પોલીસ સ્ટેશન નજીક સોહેલ ગાર્ડન વિસ્તારમાં બની હતી. પોલીસ અને ફોરેન્સિક અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી. ઘટનાના એક દિવસ પહેલા પરિવાર ગુમ થઈ ગયો હતો. આ ઘટના જોઈને પરિવારજનોમાં હત્યા થઈ હોવાની અટકળો થઈ રહી છે. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ મળી નથી. જોકે, પોલીસ હત્યા કે આત્મહત્યા અંગે કંઈપણ કહેવાનું ટાળી રહી છે.
બાળકોના મૃતદેહ બેડમાં સંતાડવામાં આવ્યા હતા...
મળતી માહિતી મુજબ, પતિ મોઈન અને પત્ની અસ્માના મૃતદેહ ફ્લોર પર મળી આવ્યા હતા, જ્યારે 8 વર્ષની અફસા, 4 વર્ષની અઝીઝા અને એક વર્ષની અદીબાના મૃતદેહ બેડની અંદરથી મળી આવ્યા હતા. ઘરની અંદર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એડીજી ડીકે ઠાકુર પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.
આ પણ વાંચો : IMD : ઉત્તર ભારતમાં હાડમાંસ કંપાવતી ઠંડી, અનેક રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત
પોલીસ તપાસમાં જોડાઈ...
SSP મેરઠે જણાવ્યું કે મૃત્યુનું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસ પરસ્પર દુશ્મનાવટના એંગલથી પણ તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણી શકાશે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
#Meerut, UP : Family of five found murdered in Meerut including a husband, wife, and their three daughters on Thursday.
All the five murdered by slitting throats, four bodies were found inside the bed box in the house while one body found outside of the bed and the house was… pic.twitter.com/Lp2JyZjLFR
— Saba Khan (@ItsKhan_Saba) January 9, 2025
આ પણ વાંચો : Kolkata rape case: CBIએ સંજય રોય માટે ફાંસીની માંગ કરી, જાણો ચુકાદો ક્યારે ?
મૃતકનો પરિવાર બુધવારે સાંજે અંતિમ વખત જોવા મળ્યો...
લિસાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુહેલ ગાર્ડનમાં રહેતો મૃતક પરિવાર બુધવારે સાંજે છેલ્લે જોવા મળ્યો હતો. એક જ પરિવારના પાંચ મૃતદેહો તેમના જ ઘરના પલંગ અને રૂમની અંદર પડેલા મળી આવ્યા હતા. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. પાંચ લોકોમાં ત્રણ બાળકો અને બે પતિ-પત્ની છે. ઘટનાને પગલે ઘટનાસ્થળે ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. માહિતી મળતાં પોલીસે બહારના લોકોને ઘરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પણ વાંચો : વકફ સંપત્તી અંગે CM યોગી આદિત્યનાથના નિવેદન પર ભડક્યા મૌલાના મોહમ્મદ મદની