સૌથી નાનો સિરિયલ કીલર! જેને 8 વર્ષની ઉંમરમાં 3 કર્યા મર્ડર
- વિશ્વભરમાં દરરોજ ઘણા ગુનાઓ થાય છે
- 2007માં આવા જ એક ગુનાની ખૂબ ચર્ચા થઈ હતી
- કૃત્ય સીરીયલ કિલિંગ કરતા અલગ
- દુનિયાનો સૌથી નાનો સિરિયલ કિલર
World’s Youngest Serial Killer: વિશ્વભરમાં દરરોજ ઘણા ગુનાઓ થાય છે, પરંતુ કેટલાક ગુનાઓ એવા છે જેને ભૂલી જવું લગભગ અશક્ય છે. 2007માં આવા જ એક ગુનાની ખૂબ ચર્ચા થઈ હતી. અમે વાત કરી રહ્યા છીએ અમરજીત સાદાની (Amarjeet Sada) જે સિરિયલ કિલર હતો અને તેણે 3 છોકરીઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. આ કૃત્ય સીરીયલ કિલિંગ કરતા અલગ હતું કારણ કે તેનો ભોગ બાળકો બન્યા હતા, પરંતુ હત્યારો પણ બાળક હતો. આ ગુનો કર્યો ત્યારે અમરજીત માત્ર 8 વર્ષનો હતો. આ કારણે અમરજીત સાદાને દુનિયાનો સૌથી નાનો સિરિયલ કિલર કહેવામાં આવે છે.
ક્યારે શરૂ થઈ કહાની?
2007માં એક છોકરીના ગુમ થવાના કેસમાં અચાનક નવો વળાંક આવ્યો જ્યારે છોકરીના માતા-પિતાએ તેમની દીકરીના ગુમ થવા માટે 8 વર્ષના છોકરાને જવાબદાર ઠેરવ્યો. બિહારના બેગુસરાયના મુસાહરી ગામમાં 3 વર્ષની ખુશ્બૂ ઘણા દિવસોથી ગુમ હતી, ત્યારપછી આખા ગામે આ બાળકીને શોધવાનું શરૂ કર્યું. આખરે કંટાળીને ખુશ્બુનો પરિવાર પોલીસ પાસે ગયો. આ પછી જે સત્ય બહાર આવ્યું તેણે પોલીસ સહિત સૌને ડરાવી દીધા.
આ પણ વાંચો -Justice Yashwant Verma ની દિલ્હી હાઇકોર્ટથી અલ્હાબાદ હાઇકોર્ટમાં કરાઇ બદલી
પરિવાર પરસ્પર દુશ્મનાવટના કારણે આક્ષેપો કરી
ખુશ્બુના માતા-પિતાએ પોલીસને જણાવ્યું કે તેમને અમરજીત સાદા પર શંકા છે. જોકે પહેલા તો પોલીસને લાગ્યું કે પરિવાર પરસ્પર દુશ્મનાવટના કારણે આક્ષેપો કરી રહ્યો છે, પરંતુ બાદમાં અમરજીતે પોતે જ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જ્યારે પોલીસે અમરજીતને આ અંગે પૂછ્યું તો તેણે કહ્યું, 'પહેલા મને બિસ્કિટ આપો, પછી હું કહીશ'. જ્યારે તેને બિસ્કીટનું પેકેટ મળ્યું ત્યારે તે પોલીસને ખુશ્બુ પાસે લઈ ગયો, જ્યાં ખુશ્બુનો મૃતદેહ હતો
આ પણ વાંચો -Bajinder Singh : 8 વર્ષ જૂના બળાત્કાર કેસમાં મોહાલી કોર્ટેનો ઐતિહાસિક ચુકાદો
3 મહિનાની અમરજીતની બહેનો હતી
વધુ પૂછપરછ દરમિયાન અમરજીતે એ પણ જણાવ્યું કે ખુશ્બુ સિવાય તેણે વધુ બે છોકરીઓની હત્યા કરી હતી, જે તેના જ પરિવારની હતી. આ બંને છોકરીઓ 6 વર્ષ અને 3 મહિનાની અમરજીતની બહેનો હતી. અમરજીતને તેના ગુનાનો કોઈ પસ્તાવો નહોતો, હકીકતમાં તેને તે કરવામાં મજા આવતી હતી. આ હત્યાઓ અમરજીતે 2006-2007 વચ્ચે કરી હતી. 8 વર્ષની ઉંમરે અમરજીતને જેલમાં મોકલી ન શકાય, તેથી તેને બાળ ગૃહમાં મોકલવામાં આવ્યો હતો.