Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એ જ એગ્રેસન અને એ જ અંદાજ! રાહુલના રસ્તે સંસદમાં ચાલ્યા Priyanka Gandhi

કેરળના વાયનાડથી લોકસભામાં પહેલીવાર ચૂંટાઈને આવેલા પ્રિયંકા ગાંધીએ શુક્રવારે પોતાનું પ્રથમ ભાષણ આપ્યું હતું. આ ડેબ્યુ સ્પીચમાં તેમણે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, જાતિની વસ્તી ગણતરી, મણિપુર હિંસા અને બંધારણને લઈને કેટલાક મહત્વના મુદ્દાઓ પર સવાલો કર્યા હતા.
એ જ એગ્રેસન અને એ જ અંદાજ  રાહુલના રસ્તે સંસદમાં ચાલ્યા priyanka gandhi
Advertisement
  • લોકસભામાં Priyanka Gandhi એ સંસદમાં કર્યું ધમાકેદાર ડેબ્યુ
  • અદાણીથી મણિપુર સુધી પ્રિયંકાના આક્રમક પ્રહારો
  • બંધારણના રક્ષણ માટે પ્રિયંકાનો મજબૂત સંદેશ
  • પ્રિયંકાના ભાષણથી રાહુલની જોવા મળી ઝલક
  • અદાણી મુદ્દે મોદી સરકારને ઘેરતી પ્રિયંકા
  • મણિપુર હિંસાનો ઉલ્લેખ કરીને ભાજપ પર નિશાન

Priyanka Gandhi Vadra : કેરળના વાયનાડથી લોકસભામાં પહેલીવાર ચૂંટાઈને આવેલા પ્રિયંકા ગાંધીએ શુક્રવારે પોતાનું પ્રથમ ભાષણ આપ્યું હતું. આ ડેબ્યુ સ્પીચમાં તેમણે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, જાતિની વસ્તી ગણતરી, મણિપુર હિંસા અને બંધારણને લઈને કેટલાક મહત્વના મુદ્દાઓ પર સવાલો કર્યા હતા. તેમના ભાષણના મુદ્દાઓ અને અંદાજથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેઓ ભવિષ્યમાં વિપક્ષના નેતા અને તેમના ભાઈ રાહુલ ગાંધીના માર્ગ પર ચાલવાની તૈયારીમાં છે.

બંધારણ અને અદાણી મુદ્દે ભાજપ પર પ્રહારો

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, પ્રિયંકા (Priyanka) આ ભાષણથી ભારતીય રાજકારણમાં પોતાનું મજબૂત સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રિયંકા ભલે નવા સાંસદ છે, પણ રાજકીય માહોલ માટે નવા નથી. તેમણે આ પહેલા તેમની માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ માટે સતત પ્રચારક તરીકે મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ લોકસભામાં પોતાના ભાષણની શરૂઆત ‘ભારતના બંધારણની 75 વર્ષની ભવ્ય સફર’ પર ચર્ચા કરીને કરી. તેમણે જણાવ્યું કે, બંધારણ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનું વચન આપે છે, જે આજે ખતરામાં છે. તેમણે આરોપ મૂક્યો કે સરકાર બંધારણના મૂળ તત્વોને નુકસાન પહોંચાડવા માગે છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના મુદ્દે તેમણે સીધા પ્રહારો કરતા જણાવ્યું કે, “દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે એક વ્યક્તિને ફાયદો પહોંચાડવા માટે દેશની સંપત્તિ એક શખ્સને સોંપવામાં આવી રહી છે. બંદરો, એરપોર્ટ, રોડ, રેલ્વે અને સરકારી કંપનીઓ એક જ વ્યક્તિના હાથમાં સોંપવામાં આવી રહી છે. જનતામાં એક ધારણા બની રહી છે કે સરકાર માત્ર અદાણી માટે કાર્યરત છે.”

Advertisement

Advertisement

મણિપુર હિંસા અને નફરતનો મુદ્દા

રાહુલ ગાંધી લાંબા સમયથી અદાણી મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે. હવે પ્રિયંકાએ પણ આ જ વિષયને આગળ વધારતાં પોતાનું મજબૂત રાજકીય સ્ટેટમેન્ટ આપ્યું છે. પ્રિયંકાએ મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી હિંસા અને ન્યાયની હાકલ પર પણ કેન્દ્ર સરકારની નિંદા કરી. પ્રિયંકાએ કહ્યું કે, “જ્યાં ભાઈચારો હતો ત્યાં આજે નફરત અને શંકાના બીજ વાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન ગૃહમાં બંધારણને માથે લગાવે છે, પરંતુ જ્યારે મણિપુર, હાથરસ અને સંભલમાં ન્યાય માટે અવાજ ઉઠે છે, ત્યારે કોઈ જ અભિપ્રાય આપતા નથી.” રાહુલની જેમ જ તેમણે પણ પ્રેમની દુકાન અને નફરતના મુદ્દાઓને ભાષણમાં રજૂ કર્યા, જેમાં જણાવ્યું કે, દેશના કરોડો લોકો નફરતનો વિરોધ કરી પ્રેમના સંદેશ સાથે આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો:  રાજ્યસભામાં ધનખડ-ખડગે વચ્ચે જોરદાર ચર્ચા,જાણો શું કહ્યું

Tags :
Advertisement

.

×