G20 SUMMIT 2023 : G-20 માં જિનપિંગ અને પુતિનની ગેરહાજરી પર S. Jaishankar કહી આ મોટી વાત
ભારતની રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે G-20 સમિટ યોજાવા જઈ રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમાં ભાગ લેશે નહીં. G-20 સમિટમાં આ બંને નેતાઓ ન આવતા ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની પ્રતિક્રિયા સામે આવી છે. જયશંકરે કહ્યું, મને લાગે છે કે G20માં અલગ-અલગ સમયે કેટલાક રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન રહ્યા છે, જેમણે કોઈ કારણોસર ન આવવાનો નિર્ણય લીધો છે. પરંતુ તે પ્રસંગે જે તે દેશનો પ્રતિનિધિ હોય તે પોતાના દેશ અને તેની સ્થિતિને આગળ રાખે છે. મને લાગે છે કે દરેક જણ તેના પર ખૂબ જ ગંભીરતાથી આવી રહ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા છે
#WATCH | On the upcoming G20 Summit in Delhi, EAM Dr S Jaishankar says, "...This is like the home stretch, everything is getting ready. The negotiators are negotiating, and the people who are trying to get the arrangements done are working at it. It is really a very focused time… pic.twitter.com/SZZ9QNDHWd
— ANI (@ANI) September 6, 2023
વાસ્તવમાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતમાં આયોજિત G-20 સમિટમાં ભાગ લેશે નહીં. તેમના સ્થાને, ચીનના પીએમ લી કિઆંગ નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરની બેઠકમાં બેઇજિંગનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે. બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે તેઓ ભારત નથી આવી રહ્યા અને તેના બદલે વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ જી-20 સમિટમાં ભાગ લેશે.
ભારત અને ચીન વચ્ચે 2020 થી ચાલી રહેલ વિવાદ
2020માં ગાલવાન ખીણમાં હિંસા બાદથી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ત્યારથી, પૂર્વી લદ્દાખમાં બંને દેશો વચ્ચે ટકરાવની સ્થિતિ છે. શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે બંને દેશો વચ્ચે વાતચીતના ઘણા રાઉન્ડ થયા છે. ભારત શરૂઆતથી જ LAC પર શાંતિ અને સૌહાર્દ જાળવવાની હિમાયત કરી રહ્યું છે. ભારત અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે નવી દિલ્હીમાં આયોજિત G-20 સમિટમાં ભાગ ન લેવાના જિનપિંગના નિર્ણય બાદ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
આ નેતાઓને G-20માં સામેલ કરવામાં આવશે
યુએસ પ્રમુખ જો બિડેન, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની આલ્બનીઝ, જર્મન ચાન્સેલર આલ્ફ સ્કોલ્ઝ, યુકેના વડા પ્રધાન ઋષિ સુનાક, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઇનાસિયો લુલા ડી સિલ્વા સહિત ઘણા જી-20 નેતાઓ સમિટમાં ભાગ લેશે. સામીલ થવા માટે, હાજરી આપવા માટે.
આ પણ વાંચો -GHAZIABAD : શ્વાનના કરડવાથી 14 વર્ષના બાળકનું મોત, પિતાના ખોડામાં બાળકે દમ તોડ્યો