Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pune Accident : ફૂટપાથ પર સૂતેલા 9 શ્રમિકોને ડમ્પર ચાલકે કચડ્યા, 3ના મોત; 6 ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના વાઘોલીના કેસનંદ ફાટા વિસ્તારમાં રવિવારે રાત્રે લગભગ 1 વાગ્યે એક અકસ્માત થયો હતો. જણાવી દઇએ કે, ફૂટપાથ પર સૂઈ રહેલા મજૂરો પર ડમ્પર ચડી જતા 2 માસુમ બાળકો સહિત 3 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
pune accident   ફૂટપાથ પર સૂતેલા 9 શ્રમિકોને ડમ્પર ચાલકે કચડ્યા  3ના મોત  6 ઈજાગ્રસ્ત
Advertisement
  • ફૂટપાથ પર સૂતેલા 9 શ્રમિકોને ડમ્પર ચાલકે કચડ્યા
  • બે બાળકો સહિત 3 લોકોના મોત અને 6 લોકો ઘાયલ
  • મહારાષ્ટ્રના પુણેના વાઘોલીમાં ભયાનક અકસ્માત
  • ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનો લાગ્યો આરોપ
  • ઈજાગ્રસ્ત શ્રમિકો સાસૂન હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • અમરાવતીથી મજૂરી કામે આવ્યા હતા તમામ શ્રમિકો

Pune Accident : મહારાષ્ટ્રના પુણે જિલ્લાના વાઘોલીના કેસનંદ ફાટા વિસ્તારમાં રવિવારે રાત્રે લગભગ 1 વાગ્યે એક અકસ્માત થયો હતો. જણાવી દઇએ કે, ફૂટપાથ પર સૂઈ રહેલા મજૂરો પર ડમ્પર ચડી જતા 2 માસુમ બાળકો સહિત 3 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં વૈભવી પવાર (1), વૈભવ પવાર (2) અને વિશાલ પવાર (22)નો સમાવેશ થાય છે. ઘટના બાદ તુરંત પોલીસે પંચનામું કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

ઘાયલ મજૂરોને તાત્કાલિક સારવાર

આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સાસૂન જનરલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ મજૂરો અમરાવતીથી પુણેમાં બાંધકામના કામ માટે આવ્યા હતા અને ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા. અકસ્માતના કારણે ઘાયલો પૈકી બેની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં લોકોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Advertisement

Advertisement

ડ્રાઈવર નશાની હાલતમાં, ડમ્પર કબજે

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને બેકાબૂ ડમ્પર હંકારીને ફૂટપાથ પર સૂતા મજૂરો પર તેને ચડાવી દીધુ હતું. પોલીસે ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ શરૂ કરી છે. ડમ્પરને કબજે કરી લેવામાં આવ્યું છે અને અકસ્માતના કારણોને શોધવા માટે CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. ડમ્પર ચલાવતી વખતે ટેક્નિકલ ખામી અથવા ડ્રાઈવરની બેદરકારી આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે છે.

સ્થળ પર અરાજકતા અને સ્થાનિકોની મદદ

આ દુર્ઘટનાને કારણે ઘટનાસ્થળે અરાજકતા ફેલાઈ ગઈ હતી. રાહદારીઓએ પોલીસને તાત્કાલિક જાણ કરી અને ઘાયલ મજૂરોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી. આ દરમિયાન, કેટલાક સ્થાનિકોએ પોલીસ અને ઘાયલ મજૂરોને મદદ કરી. ફૂટપાથ પર સૂઈ રહેલા લગભગ 12 મજૂરોમાંના ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સ્થાનિક લોકોએ મજૂરોને ફૂટપાથ પર સૂતા રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવાની માગ કરી છે.

આ પણ વાંચો:  Mumbai : કુર્લામાં Best બસનો ભયાનક અકસ્માત, રસ્તા પર જઇ રહેલા 20 લોકોને કચડ્યા

Tags :
Advertisement

.

×