ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Pahelgam Terrorist Attack : Pakistan ને મોટો ઝટકો આપવાની તૈયારી! ભારત સરકાર લઈ શકે છે વધુ 2 મોટા નિર્ણયો

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે અને હવે વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી રહ્યું છે.
11:59 AM Apr 29, 2025 IST | MIHIR PARMAR
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે અને હવે વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી રહ્યું છે.
featuredImage featuredImage
Big blow to Pakistan gujarat first

Pahelgam Terrorist Attack : પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે અને હવે વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી રહ્યું છે. ભારત સરકાર બે મોટા નિર્ણયો લેવાની તૈયારીમાં છે. જો આ નિર્ણયો લેવામાં આવશે તો પાકિસ્તાન સંપૂર્ણપણે તૂટી જશે.

ભારતનું પાકિસ્તાન સામે આક્રમક વલણ યથાવત

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતનું પાકિસ્તાન સામે આક્રમક વલણ યથાવત છે. સિંધુ જળ સંધિનો ભંગ કરીને ભારતે પાકિસ્તાનનું પાણી બંધ કરી દીધું. હવે ભારત પાકિસ્તાનની કમર તોડવાની તૈયારી કરી રહ્યું છે. હા, ભારત હવે પાકિસ્તાનને બીજો મોટો ઝટકો આપી શકે છે. પાકિસ્તાને ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. હવે ભારત પાકિસ્તાન માટે પોતાનો હવાઈ અને દરિયાઈ માર્ગ પણ બંધ કરી શકે છે. ભારતે પાકિસ્તાનને ભારતીય બંદરોથી દૂર રાખવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

જો ભારત હવાઈ માર્ગ અને દરિયાઈ માર્ગને અવરોધિત કરવાનો નિર્ણય લે છે, તો તેની સીધી અસર પાકિસ્તાનના અર્થતંત્ર અને ત્યાંના સ્થાનિક લોકો પર પડશે. જો ભારત આવું કરશે, તો પાકિસ્તાને અન્ય દેશોમાં પહોંચવા માટે શ્રીલંકા અને ચીનનો માર્ગ અપનાવવો પડશે. ખાસ કરીને જો પાકિસ્તાન માટે ભારતીય હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવે છે, તો દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો, કુઆલાલંપુર વગેરેની ફ્લાઇટ્સ શ્રીલંકા અને ચીનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવુ પડશે, જેના કારણે એરલાઇન ખર્ચ અને ભાડામાં વધારો થશે.

આ પણ વાંચો :  Pahelgam Terrorist Attack : 'દમ હોય તો આવી જાવ...', બિલાવલ ભુટ્ટોના નિવેદન પર સીઆર પાટીલનો જડબાતોડ જવાબ

પાકિસ્તાનની સ્થિતિ બગડી શકે

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પહેલાથી જ ખરાબ છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ મલેશિયા, સિંગાપોર અને થાઇલેન્ડ જેવા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સુધી પહોંચવા માટે ભારતીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરી રહી છે. આવી સ્થિતિમાં, જો ભારત દ્વારા હવાઈ અને દરિયાઈ માર્ગો બંધ કરવામાં આવે છે, તો પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સને અન્ય દેશોમાં પહોંચવા માટે લાંબું અંતર કાપવું પડશે.

આનાથી પાકિસ્તાનમાં મોંઘવારી વધશે અને લોકોને આર્થિક નુકસાન થશે. જેમ જેમ મોંઘવારી વધશે તેમ તેમ ગરીબી વધશે. પાકિસ્તાનનો વેપાર અને અવરજવર ઠપ્પ થઈ જશે, જેનાથી અર્થતંત્રને નુકસાન થશે. યુરોપિયન એર સેફ્ટી એજન્સી (EASA) એ 30 જૂન, 2020 ના રોજ સલામતીના કારણોસર પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સને યુરોપ જતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, 4 મહિનાથી વધુ સમય પછી, 29 નવેમ્બર 2024 ના રોજ આ માર્ગ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો.

આ પણ વાંચો :  'Pakistan એ કોઈ ભ્રમમાં ન રહેવું જોઈએ...', પહેલગામ હુમલા પર ફારુક અબ્દુલ્લાએ કહ્યું

Tags :
Economic BlockadeGeopolitics AsiaGujarat FirstIndia Defence PolicyIndia Pakistan TensionsIndia Strikes BackIndian Air space BanIndus Water TreatyMihir Parmarpahalgam attackPakistan Air space Closurepakistan crisis