Delhi:રેપિડ રેલમાં PM મોદીએ કરી સફર,Namo Bharat કોરિડોરનું કર્યુ ઉદ્ઘાટન
- PM મોદીએ નમો ભારત કોરિડોરનું કર્યુ ઉદ્ઘાટન
- દિલ્હીથી મેરઠ 40 મિનિટમાં મુસાફરી
- રેપિડ રેલમાં PM મોદીએ કરી સફર
Delhi:PM નરેન્દ્ર મોદીએ (PM Modi)દિલ્હીમાં રૂ. 12200 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. આ પહેલા પીએમ મોદીએ સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી ‘નમો ભારત’ ટ્રેનમાં સવારી કરી હતી. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ બાળકો સાથે વાત કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરનું ઉદ્ઘાટન
PM મોદીએ ન્યૂ અશોક નગરમાં સાહિબાબાદથી ન્યૂ અશોક નગર સુધી 13 કિલોમીટર લાંબા દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. તેની કિંમત અંદાજે 4,600 કરોડ રૂપિયા છે. આ દિલ્હીની પ્રથમ 'નમો ભારત' કનેક્ટિવિટી હશે, જે દિલ્હી અને મેરઠ વચ્ચે મુસાફરીને અનુકૂળ બનાવશે.
દિલ્હીથી મેરઠ 40 મિનિટમાં મુસાફરી
નમો ભારત ટ્રેન આજે સાંજે 5 વાગ્યાથી દર 15 મિનિટના અંતરે મુસાફરો માટે ઉપલબ્ધ થશે. ન્યૂ અશોક નગરથી મેરઠ દક્ષિણનું ભાડું સામાન્ય કોચ માટે 150 રૂપિયા અને પ્રીમિયમ કોચ માટે 225 રૂપિયા હશે. આ હાઇ-સ્પીડ અને આરામદાયક મુસાફરી સુવિધાથી લાખો લોકોને લાભ થશે. મુસાફરો ન્યૂ અશોક નગરથી મેરઠ દક્ષિણની મુસાફરી માત્ર 40 મિનિટમાં કરી શકશે.
#WATCH | Sahibabad, UP: Prime Minister Narendra Modi met school children as he took a ride in Namo Bharat Train from Sahibabad RRTS Station to New Ashok Nagar RRTS Station.
(Source: DD News) pic.twitter.com/diwkb0bRRh
— ANI (@ANI) January 5, 2025
મુસાફરોને આનંદો
નમો ભારત પ્રોજેક્ટમાં મલ્ટી મોડલ એકીકરણને પ્રાથમિકતા આપવામાં આવી છે. પીએમ ગતિ શક્તિ-રાષ્ટ્રીય માસ્ટર પ્લાન અનુસાર, આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મુસાફરો માટે મુસાફરીને સરળ અને સુલભ બનાવવાનો છે. આનંદ વિહાર સ્ટેશનનું નિર્માણ તકનીકી રીતે પડકારજનક હતું, પરંતુ તે નવી તકનીક અને નવીન પદ્ધતિઓ દ્વારા સાકાર કરવામાં આવ્યું હતું. આ સ્ટેશન પરથી મુસાફરોને મેટ્રો, ISBT અને રેલવે સ્ટેશન દ્વારા દેશના કોઈપણ ખૂણે જવાની સુવિધા મળશે.
દિલ્હી મેટ્રો ફેઝ-4નું ઉદ્ઘાટન
આ સાથે પીએમ મોદીએ 2.8 કિલોમીટર લાંબા જનકપુરીથી કૃષ્ણા પાર્ક સેક્શનનું ઉદ્ઘાટન કર્યું, આ દિલ્હી મેટ્રો ફેઝ-4નો પહેલો ઓપનિંગ સેક્શન છે. 1200 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટથી પશ્ચિમ દિલ્હીના કૃષ્ણા પાર્ક, વિકાસપુરી અને જનકપુરી જેવા વિસ્તારોને ફાયદો થશે.
રીઠાલા-કુંડલી કોરિડોર માટે શિલાન્યાસ
પીએમ મોદીએ 26.5 કિમી લાંબા રિથાલા-કુંડલી સેક્શનનો શિલાન્યાસ કર્યો, જેની કિંમત અંદાજે 6,230 કરોડ રૂપિયા છે. આ કોરિડોર રિથાલા (દિલ્હી) ને નાથુપુર (કુંડલી, હરિયાણા) થી જોડશે. તે ઉત્તર-પશ્ચિમ દિલ્હી અને હરિયાણાના વિસ્તારો જેમ કે રોહિણી, બવાના, નરેલા અને કુંડલી સાથે જોડાણને વેગ આપશે.
#WATCH | Sahibabad, UP: Prime Minister Narendra Modi to undertake a ride in Namo Bharat Train from Sahibabad RRTS Station to New Ashok Nagar RRTS Station.
(Source: DD News) pic.twitter.com/CBRIF5Nj94
— ANI (@ANI) January 5, 2025
સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની નવી ઇમારતનો શિલાન્યાસ
આ સિવાય વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીના રોહિણીમાં સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CARI)ની નવી અત્યાધુનિક ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો. તેની કિંમત અંદાજે 185 કરોડ રૂપિયા છે. આ નવું કેમ્પસ આરોગ્ય અને દવા માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. તેમાં એડમિનિસ્ટ્રેટિવ બ્લોક, ઓપીડી બ્લોક, આઈપીડી બ્લોક અને ડેડિકેટેડ ટ્રીટમેન્ટ બ્લોક હશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશના લાખો લોકોને કનેક્ટિવિટી અને સ્વાસ્થ્ય સુવિધાઓનો લાભ મળશે.